મુંબઈઃ બોલીવુડ સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્યની પોલીસે કરી ધરપકડ, જાણો કારણ
થોડા સમય પહેલા ઇન્ડિગો એરલાઇન્સમાં ટ્રાવેલ દરમિયાન આદિત્ય નિર્ધારિત સીમા કરતા વધારે લગેજ લઇ જઈ રહ્યો હતો જ્યારે અધિકારીઓ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે આદિત્ય તેમના પર ભડક્યો હતો અને વિવાદ થયો હતો.
મુંબઈઃ બોલીવુડના જાણીતા સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણની આજે મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અંધેરીના લોખંડવાલા સર્કલ નજીક રિક્ષા સાથે કાર અથડાવ્યા બાદ તેની સામે આઈપીસીની કલમ 338 & 279 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
એ આર રહેમાન સાથે આદિત્ય નારાયણ
અનુષ્કા શર્મા સાથે આદિત્ય નારાયણ
આદિત્યની કારે રિક્ષાને ટક્કર મારી ત્યારે તેમાં એક મહિલા પેસેન્જર સવાર હતી. કારની ટક્કરની પેસેન્જર અને ડ્રાઇવરને ઇજા થઈ હતી. આ પહેલા પણ આદિત્ય વિવાદોમાં ફસાઇ ચૂક્યો છે.
ઉદિત નારાયણે પત્ની અને પુત્ર સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત કરી ત્યારની ફાઇલ તસવીર.