નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ મૌન તોડ્યું, ફેસબૂક પર તસવીર પોસ્ટ કરીને શું લખ્યું, જાણો વિગત

મુંબઈ: નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ લખી પોતાના મનની વાત રજૂ કરી છે. હાલના દિવસોમાં મીડિયામાં રિપોર્ટ ચાલી રહી છે કે પોલીસે શુક્રવારે કોલ ડિટેઈલ રેકોર્ડ મામલે તપાસ માટે નવાઝુદ્દીન, તેની પત્ની અને એક વકીલને સમન્સ પાઠવ્યું છે.
હું હિંદુ બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું, તો નવાઝ એક મુસ્લિમ છે. જોકે, નવાઝે મને ક્યારેય મારા અલગ ધર્મ હોવાનો અહેસાસ કરાવ્યો નહોતો. ના તો મારી પર એમનો ધર્મ અપનાવવાનો આગ્રહ કર્યો. તે જેટલો પોતાના ધર્મને માને છે, તેટલો જ આદર મારા ધર્મને કરે છે.
નવાઝ દુનિયા માટે એક સેલિબ્રિટી છે પરંતુ મારા માટે તો તે 15 વર્ષ પહેલાનો જ નવાઝ છે. મને હંમેશાથી તેમની એક વાત સારી લાગી હતી અને તે હતી તેમના ખુલ્લાં વિચારો. એમને જેટલો પોતાનો સ્પેસ પસંદ છે, તેટલો જ બીજાને પણ સ્પેસ આપે છે.
આલિયાએ લખ્યું, ''છેલ્લાં કેટલાંક દિવસોથી તેમના બાયોગ્રાફીને લઈને ઘણી જ આલોચના થી. નવાઝનો વાંક એટલો જ હતો કે તેઓ સાચું બોલતા હતાં. તેમની અંદર કોઈ પ્રકારનુ અસત્ય નથી. જોકે, તેમને સમજ્યા વગર જ તેમને ખોટો ગણવામાં આવ્યા.
મારો અને નવાઝનો સંબંધ 15 વર્ષ જૂનો છે. જ્યારે નવાઝ કંઈ પણ નહોતો ત્યારે એક નાના ઘરથી અમારો પ્રેમ પાંગર્યો હતો અને તેમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા હતાં. લાંબા રિલેશન બાદ અમે લગ્ન કર્યાં હતાં. નવાઝ પણ કરિયરની ટોચે પહોંચ્યો છે. જે થોડી ઘણી કમી હતી, તે અમારા બે બાળકો શોરા અને યાનીના જન્મથી પૂરી થઈ ગઈ.
આલિયાએ નવાઝ સાથે પોતાની તસવીર શેર કરી તમામ આરોપોનું ખંડન કર્યું છે. આલિયાએ ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે, મીડિયામાં જે પણ નવાઝને લઈ ચાલી રહ્યું છે, તેનાથી તે બંને હેરાન છે. આ પહેલાં પણ તેના અને નવાઝ અંગે વિવિધ વાતો આવતી રહેતી હતી. તેમાં ડિવોર્સથી લઈ સાથે ના રહેવા સહિતની અનેક વાતો આવી હતી પરંતુ હવે તે વાત ફેલાઈ રહી છે, તે બંને માટે હેરાન કરનારી છે. આ બધું સાંભળ્યા બાદ મજબૂર થઈને ચૂપ્પી તોડવી પડી છે.