Parineeti Raghav Chadha Roka Ceremony: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા તાજેતરમાં મુંબઈમાં સતત બે લંચ અને ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. આ પછી બંનેના ડેટિંગની ખબરો ચર્ચાવા લાગી છે. આ પછી AAP સાંસદ સંજીવ અરોરાએ પરિણીતી અને રાઘવને અભિનંદન આપતા ટ્વીટ કર્યું હતું આ પછી ચાહકોમાં અટકળો શરૂ થઈ ગઈ કે શું અભિનેત્રી અને રાજનેતાની સગાઈ થઈ ગઈ છે?


પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની જલ્દી યોજાશે રોકા સેરેમની


બીજી તરફ  ETimes ના અહેવાલ મુજબ ચોપરા પરિવારના એક નજીકના મિત્રએ ખુલાસો કર્યો છે કે પરિણીતી અને રાઘવ તેમના યુનિયન માટે પ્રતિબદ્ધ છે પરંતુ અંતિમ સમારોહ હજુ થવાનો છે. રિપોર્ટ અનુસાર સૂત્રએ એ પણ ખુલાસો કર્યો છે કે પરિણીતી અને રાઘવનું રોકા ફંક્શન પણ જલ્દી જ થવાનું છે.




પરિણીતી અને રાઘવના રોકા માટે ફેમિલી કરી રહી છે પ્લાનિંગ


અહેવાલ મુજબ ચોપરા પરિવારના એક નજીકના મિત્રએ પણ જણાવ્યું હતું કે, "રોકા સેરેમની ચોક્કસપણે થઇ રહી છે. જેને પગલે બંને પરિવારો ટૂંક સમયમાં તારીખ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ એક તારીખ શોધી રહ્યા છે જે આ મહિનાના અંતમાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં હોઈ શકે. "કદાચ." સૂત્રએ એમ પણ કહ્યું કે આ તારીખ ક્યારે નક્કી કરવામાં આવશે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. પરંતુ ચોપરા અને ચઢ્ઢા બંને આગળના પ્લાનિંગમાં વ્યસ્ત છે.




રાઘવ સાથેની તેની સગાઈના સમાચાર સાંભળીને પરિણીતી શરમાઈ ગઈ


અગાઉ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પરિણીતી એરપોર્ટ પર જોવા મળી હતી અને પેપ્સે તેને રાઘવ સાથેની સગાઈ વિશે પૂછપરછ કરી હતી. અભિનેત્રીને પૂછવામાં આવ્યું, "મૅમજે સમાચાર આવી રહ્યા છેતે સાચા છે?" પેપ્સનો આ સીધો સવાલ સાંભળીને પરિણીતી શરમાતી અને સ્મિત કરતી જોવા મળી હતી.જોકેતેણે ન તો આ પ્રશ્નનો ઇનકાર કર્યો કે ન તો પુષ્ટિ કરી હતી.