કંગના રનૌતનો શો લોકઅપ શરૂઆતથી જ એક કે  બીજા કારણોસર ચર્ચામાં રહ્યો છે. ક્યારેક સ્પર્ધકોના ચોંકાવનારા ઘટસ્ફોટ તો ક્યારેક ચોંકાવનારી હકાલપટ્ટી.આવા અનેક કારણોને લીધે આ શો સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. શોમાં સ્પર્ધકો તેમના અંગત જીવન વિશે ખુલીને વાત કરતા જોવા મળે છે. થોડા દિવસો પહેલા પૂનમ પાંડેએ ખુલાસો કર્યો હતો કે તેનો પતિ, જેનાથી તે હવે અલગ થઈ ગઈ છે, તે કેવી રીતે તેને બાંધીને રાખતો હતો અને ત્રાસ આપતો હતો.


પૂનમના આ ખુલાસાએ  બધાને ચોંકાવી દીધા. જો કે, અભિનેત્રીને એ વાતનો પણ અફસોસ છે કે તેના લગ્ન સફળ ન થયા. પૂનમ કહે છે કે તેણે આ સંબંધને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે થઈ શક્યું નહીં. તાજેતરમાં અભિનેત્રી સેમ બોમ્બે યોને યાદ કરીને રડતી જોવા મળી હતી.


ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેએ  આ વિકેન્ડમાં શોમાં અતિથિ તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન અંકિતાએ સ્પર્ધકો સાથે ખૂબ મસ્તી પણ કરી હતી અને અંજલિ અને મુનવ્વરને ભેટ પણ આપી હતી. અંકિતાના ગયા પછી પૂનમ સેમ બોમ્બેને યાદ કરીને રડવા લાગી. અંજલિએ  પૂછવા પર અભિનેત્રીએ કહ્યું કે તે સેમને મિસ કરી રહી છે, જેની સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું છે.


પૂનમને રડતી જોઈને અંજલિ અને મુનવ્વરે તેને સમજાવવાનું શરૂ કર્યું, તો પૂનમ રડવા લાગી અને કહ્યું, “મેં ચાર વર્ષ સુધી બહુ કોશિશ કરી, પણ સંબંધ ટકી  ન શક્યો. મારા લગ્ન પણ ટક્યા હોત.” પૂનમે આગળ કહ્યું, “મને નથી લાગતું કે મને જીવનમાં કંઈ મળશે. હું એકલી  મરી જઈશ.” જોકે અંજલિએ પૂનમને મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. જે બાદ પૂનમે કહ્યું કે લોકો જે રીતે તેના વિશે વાત કરે છે તે તેને પસંદ નથી.