બોલિવૂડના પોપ્યુલર લવ બર્ડ્સ રણબીર કપૂર (Ranbir kapoor) અને આલિયા ભટ્ટ (alia bhatt) વિશે ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે આ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. દરરોજ રણબીર અને આલિયા સાથે જોવા મળે છે. આટલું જ નહીં, જ્યારે પણ આ કપલ જાહેરમાં સાથે દેખાય છે, ત્યારે પૂછવામાં આવે છે કે તેઓ ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે. ચાહકોની આ રાહ સંપૂર્ણ રીતે સમાપ્ત થવા જઈ રહી છે. હા, જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, રણવીર અને આલિયા તેમના ફેન્સને વધુ રાહ જોવડાવશે નહીં, તેઓ આ મહિને જ લગ્ન કરશે.


ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર  (Ranbir kapoor) અને આલિયા ભટ્ટ (alia bhatt) ના લગ્નની તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. એટલું જ નહીં પરંતુ લગ્નની વિધિથી લઈને ડ્રેસ સુધીનું કામ ચાલી રહ્યું છે. નીતુ કપૂર તાજેતરમાં મનીષ મલ્હોત્રાના સ્ટોરમાં જોવા મળી હતી. બીજી તરફ જો આ કપલના લગ્ન સ્થળની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ચેમ્બુરના આરકે હાઉસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પહેલા એવા પણ સમાચાર હતા કે રણબીર અને આલિયા ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યા છે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે બંને આરકે હાઉસમાં જ સાત ફેરા ફરશે. 


 




વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળવાના છે. આ કપલને મોટા પડદા પર એકસાથે જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તેમની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળશે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ કપલની લવ સ્ટોરી બ્રહ્માસ્ત્રના સેટ પર જ શરૂ થઈ હતી.