Shivangi Joshi Kidney Infection: 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની નાયરા ઉર્ફે શિવાંગી જોશીના ચાહકોની કોઈ કમી નથી. તેના ચાહકો શિવાંગીને ખૂબ જ પ્રેમ કરે છેપરંતુ આ દિવસોમાં લોકો અભિનેત્રીની હેલ્થ અપડેટ જાણીને દુઃખી છે. શિવાંગીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે. દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.


શિવાંગીને કિડનીમાં ઈન્ફેક્શન છે


શિવાંગી જોશી કિડનીના ઈન્ફેક્શનથી પીડિત છે. તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા તેના સ્વાસ્થ્ય અપડેટ્સ આપ્યા છે. ફોટોમાં શિવાંગી ઓકે સાઇન આપીને તેના સ્વાસ્થ્ય વિશે સંકેત આપી રહી છે. હોસ્પિટલના બેડ પર સુતી વખતે શિવાંગી હસતી જોવા મળી રહી છે.


શિવાંગીનું સ્વાસ્થ્ય અપડેટ


શિવાંગીએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “બધાને હાયમને છેલ્લા કેટલાક દિવસોથી કિડનીમાં ચેપ છેપરંતુ હું તમને જણાવવા માંગુ છું કે મારા પરિવારમિત્રોડૉક્ટર્સહોસ્પિટલ સ્ટાફ અને ભગવાનની કૃપાથી મને હવે સારું છે. અને હું સારું ફિલ કરી રહી છું. આ પરિસ્થિતિ તમને યાદ અપાવે છે કે તમારે તમારા શરીરમન અને આત્માની કાળજી લેવી પડશે અને સૌથી અગત્યનું તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. તમને બધાને ખૂબ જ પ્રેમ, હું ટૂંક સમયમાં પાછી ફરીશ. તમને ઘણો પ્રેમ




શિવાંગી જોશી વર્કફ્રન્ટ


'યે રિશ્તાપછી 'બાલિકા વધૂ 2અને 'ખતરોં કે ખિલાડી 12'માં જોવા મળેલી શિવાંગી જોશી 'બેકાબૂ'માં જોવા મળશે. આ શોમાં તેની સાથે ઈશા સિંહશાલિન ભનોત અને મોનાલિસા પણ લીડ રોલમાં છે. આ શો 18 માર્ચ 2023ના રોજ કલર્સ પર પ્રસારિત થશે.