કોરોનાનો અનુભવ શેર કરતાં ઉર્વશીએ લખ્યું, “છેલ્લા 25 દિવસથી હું કોરોના વાયરસનો સામનો કરતી હતી. આ 25 દિવસ મારા સ્વાસ્થ્ય માટે ઘણા ખરાબ સાબિત થયા. કોરોના થયા બાદ મારી જિંદગી રોલર કોસ્ટર જેવી થઈ ગઈ હતી. મારે એક ખતરનાક બીમારી સામે લડવાનું હતું. આ માટે મારે ઈમ્યૂન સિસ્ટમની જરૂર હતી. હવે હું આ દિવસો અંગે વાત કરવા નથી માંગતી.”
ઉર્વશીએ આગળ લખ્યું, “હું ઝડપથી સાજી થઈ અને મેં કોરોનાને હરાવ્યો. હવે હું કોરોના મુક્ત છું. કોરોનાના કારણે મારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે એક નવી ઉર્જા સાથે જિંદગી ફરીથી શરૂ કરવા જઈ રહી છું. ભગવાને મને જિદંગી જીવવાનો વધુ એક મોકો આપ્યો છે. ભગવાનના આર્શીવાદથી હું કોરોના સામેનો જંગ જીતી.”
" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">
છેલ્લા થોડા દિવસોથી ઉર્વશી ધોળકિયા સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ ગઈ હતી અને કોઈ પોસ્ટ શેર નહોતી કરી.