નરેન્દ્ર મોદીના જીવન પરની ફિલ્મમાં પરેશ રાવલ નહીં પણ મોદીનો કટ્ટર વિરોધી આ અભિનેતા કરશે મોદીનો રોલ, જાણો વિગત

આ ફિલ્મને શીતલ તલવાર પ્રોડ્યૂસ કરશે જે હાલમાં ઇન્ડો-બ્રિટિશ પ્રોડક્શનનું કામ જુએ છે. જ્યારે પીએમ મોદી પર બનનારી આ બાયોપિકને તેની ટેલેન્ટેડ વાઈફ ભાવના તલવાર ડાયરેક્ટ કરશે. ઉપરાંત ભાવના ફિલ્મ ધર્મ બનાવી ચૂકી છે, જેમાં પંકજ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.
જોકે વાસ્તવમાં શત્રુઘ્ન સિંહા નરેન્દ્ર મોદીના આલોચક છે. કહેવાય છે કે પરેશ રાવલે તો આ ફિલ્મની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. પરંતુ હવે તેના સ્થાને શત્રુઘ્ન સિંહાનું નામ ચર્ચાઇ રહ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન ભાવના તલવાર કરશે.
નરેન્દ્ર મોદી જેવા દમદાર વ્યક્તિની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાની કોણ ના પાડે? હું આ ફિલ્મમાં પાત્રને યોગ્ય ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કરીશ. તેઓ એક એકશન હીરોની માફક શક્તિશાળી અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે, તેમ અભિનેતાએ કહ્યું હતું.
મોદી ઉપર બનનારી ફિલ્મ બાબતે ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે. જોકે આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે અને શત્રુઘ્ન સિંહા નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવે તેવી શક્યતા છે. જોકે આ પહેલા આ રોલ માટે પરેશ રાવલનું નામ બોલાતું હતું.
મુંબઈઃ બોલિવુડમાં અત્યાર સુધી દિગ્ગજ હસ્તીઓની બાયોપિક બની ચૂકી છે. હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. પરંતુ ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં મોદીની ભૂમિકા તેના ટક્કર વિરોધી ગણાતા શત્રુઘ્ન સિન્હા નિભાવતા જોવા મળશે. હાલમાં જ શત્રુઘ્નને લંડનમાં બ્રિટિશ લેબર પાર્ટીના સાંસદ કિથ વાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.