✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોને સાતમા પગાર પંચના તફાવતની રકમ ક્યારે ચૂકવાશે ? સરકારે કરી મોટી જાહેરાત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Mar 2018 11:06 AM (IST)
રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોને સાતમા પગાર પંચના તફાવતની રકમ ક્યારે ચૂકવાશે ? સરકારે કરી મોટી જાહેરાત
1

ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેંશનરોને સરકારની હોળીની મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સને સાતમા પગારપંચનો તફાવત ચૂકવાશે.

2

રાજ્ય સરકાર અને પંચાયતોના કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી 2016થી જયારે પેન્શનરો માટે 1 ઓક્ટોબર 2016થી પગાર સુધારણા મંજૂર કરવામાં આવી હતી જેની હવે ચૂકવણી કરવામાં આવશે. આ રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.

3

હોળી ધુળેટી નિમિતે કર્મચારી અને પેન્શનરો માટે આ મહત્વની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી છે. આ જાહેરાત દ્વારા તેમણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના તહેવાર સુધારી દીધા છે.

4

રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે માર્ચ, મે અને જુલાઈ મહિનામાં તફાવતની રકમની ચુકવણી થશે. રાજય સરકાર આ ત્રણ મહિનામાં પોતાના સરકારી કર્મચારી અને પેન્શનરોને પગાર અને પેન્શનના તફાવત સ્વરૂપે કુલ 3279 કરોડ 79 લાખ રૂપિયાની ચૂકવણી કરશે.

5

રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે રાજ્ય સરકારના કર્મચારીઓને સાત મહિનાનો પગાર તફાવત અને પેંશનરોને નવ મહિનાના પેંશન તફાવતની રકમ ચૂકવાશે. સાતમાં પગારપંચના અમલમાં કર્મચારીઓને સાત મહિનાનો પગાર તફાવત જયારે પેન્શનરોને નવ મહિનાનો પેન્શન તફાવત ત્રણ મહિનામાં ચુકવાશે.

  • હોમ
  • ગાંધીનગર
  • રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોને સાતમા પગાર પંચના તફાવતની રકમ ક્યારે ચૂકવાશે ? સરકારે કરી મોટી જાહેરાત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.