વિસનગર તોડફોડ કેસ: ભાજપના કયા ધારાસભ્યને મળશે 40 હજારનું વળતર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jul 2018 12:17 PM (IST)
1
વિસનગરમાં ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી તે બદલ તેમને વળતર આપવામાં આવશે. વિસનગર કોર્ટમાં આજે ચૂકાદો આવતાં કહ્યું હતું કે ભાજપના ધારાસભ્ય ઋષિકેષ પટેલને 40 હજાર રૂપિયાનું વળતર મળશે.
2
આ રેલી દરમ્યાન ભાજપના ધારાસભ્યની ઋષિકેશ પટેલની ઓફીસમાં તોડફોડ, કેમેરા તોડવા અને મોબાઈલ લૂંટવાની ફરિયાદ મામલે નોંધાઈ હતી. આ કેસમાં આજે મહત્વાનો ચૂકાદો આવ્યો હતો જેમાં કોર્ટે હાર્દિક પટેલ સહિત ત્રણ આરોપીઓને બે વર્ષની સજા ફટકારી છે અને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
3
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ સહિત ત્રણ આરોપીને આજે કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. વિસનગરમાં નિકળેલી પાટીદારોના અનામતના સમર્થનમાં નિકળેલી રેલી દરમિયાન થયેલાં તોફાન મામલે વિસનગર કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો.