✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટીદારોને અનામત આપવાને લઈને ક્યો સમાજ કરી રહ્યો છે વિરોધ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Sep 2018 09:47 AM (IST)
1

તેમજ અનામતમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો ન કરવા રાજ્ય સરકારને જણાવ્યું હતું. તેમજ 49 ટકા અનામતમાં 129 જાતિ સિવાય અન્ય કોઈ જાતીનો સમાવેશ ન કરવા ઉગ્રપણે રજૂઆત કરી હતી. તેમજ જો કોઈ ફેરફાર કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

2

જે બહુમાળી ભવન ખાતેની જીલ્લા કલેક્ટર કચેરી સુધી પહોચી હતી. જેમાં ઠાકોર સેના, એસસી એસટી સમાજના આગેવાનો સહીત ઓબીસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

3

સાબરકાંઠાના હિંમતનગરના ટાવર ચોકમાં અનામત બચાવોના નારા હેઠળ એક રેલી યોજી જીલ્લા નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું. ઓબીસી અને એસસી, એસટી એકતા મંચ હેઠળ યોજાયેલી રેલીમાં એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકોએ ભેગા થઈ શહેરના ટાવર ચોક વિસ્તારથી રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર કરતાં નીકળ્યા હતા.

4

હિંમતનગર: પાસ કન્વીનર હાર્દિક પટેલ પાટીદાર અનામતની માંગ સાથે છેલ્લા 18 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકો દ્વારા અનામત મુદ્દે અધિક જીલ્લા કલેક્ટરને આવેદન આપી અનામતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવા ગુજરાત સરકારને અપીલ કરી છે.

  • હોમ
  • ગુજરાત
  • પાટીદારોને અનામત આપવાને લઈને ક્યો સમાજ કરી રહ્યો છે વિરોધ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.