પશ્ચિમ બંગાળથી જમ્મુ જઇ રહેલી આર્મીની સ્પેશ્યલ ટ્રેનમાંથી BSFના 10 જવાનો ગાયબ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી આર્મી સ્પેશિયલ ટ્રેન 83મી બીએન બટાલિયનના બીએસએફના જવાનોને લઈને નિકળી હતી, વર્ધવાન અને ધનબાદ સ્ટેશન પર ટ્રેન રોકાણી હતી. બંને સ્ટેશન પરથી ટ્રેન પસાર થયા બાદ જવાનોની ગણતરી કરવામાં આવી હતી, જેમાં 10 જવાનો ગાયબ હતા.
તંત્રને આ ઘટનાની જાણ થતા ઓફિસરોમાં દોડધામ મચી ગઇ હતી. આ મામલે પ્લાટૂન કમાંડરોએ મુગલસરાય જીઆરપી મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મુગલસરાય જીઆરપીના પીએસઆઈ જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે બીએસએફનું એક ગ્રૂપ ગૂમ થઈ ગયા હોવાની જાણ પ્લાટૂન કમાંડરો દ્વારા મળી છે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેનમાંથી અચાનક ગૂમ થઇ ગયેલા બીએસએફના જવાનોમાં- 1. પ્રદીપસિંહ, 2. શિવસિંહ, 3. કૈલાશ કુમાર, 4. દીપક કુમાર, 5. દીપક સિંહ, 6. અમિત કુમાર, 7. અશ્વની કુમાર, 8. ચવન સિંહ, 9. રોહિત વર્મા અને 10. ગોવિંદ કુમાર સામેલ છે.
આર્મીની સ્પેશ્યલ ટ્રેનથી જમ્મુ-કાશ્મીર જઈ રહેલા બીએસએફના 10 જવાન રસ્તામાં જ અચાનક ગાયબ થઈ ગયા હોવાની ઘટના બની, એક જવાન વર્ધવાન સ્ટેશન અને અન્ચ 9 ધનબાદ સ્ટેશન પર ગુમ થયા હતા.
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી જમ્મુ માટે નીકળેલા બીએસએફના 10 જવાનો રસ્તામાં જ ગૂમ થઇ ગયા છે. તે 83 બટાલિયનમાં તૈનાત હતા અને આર્મી સ્પેશ્યલ ટ્રેનથી નીકળ્યા હતા. આ બીએસએફ જવાન વર્ધમાન અને ધનબાદ રેલવે સ્ટેશનોની વચ્ચે ગૂમ થઇ ગયા છે. ટ્રેન જ્યારે ઉત્તરપ્રદેશના મુગલસરાય પહોંચી તો અહીં અધિકારીઓએ જીઆરપીમાં તેમના લાપતા થવાની ફરિયાદ નોંધાવી હતી.