2000 રૂપિયાની નોટ પર મોટો ખુલાસો, રાજનના સમયમાં જ ઉર્જિત પટેલની સહીવાળી નોટો છપાઈ ગઈ હતી
એ મુજબ પ્રેસને જૂનમાં જ નવી સિરીઝની નોટોનું છાપકામ શરૂ કરી દેવાની સલાહ અપાઇ હતી. સામાન્યપણે રિઝર્વ બેન્ક આદેશ આપે એ પછી તત્કાળ નોટોના પ્રિન્ટિંગની કામગીરી શરૂ થાય છે. પરંતુ આ કેસમાં આદેશ મેળવ્યાના અઢી મહિના પછી નોટો છાપવાનું શરૂ કરી દેવાયું હતું.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ જારી કરવામાં આવેલ 2000 રૂપિયાની નવી નોટને લઈને એક મોટ ખુલાસો સામે આવ્યો છે. અંગ્રેજી સમાચારપત્ર હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર નવી નોટ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર ઉર્જિત પટેલની સહી છે પરંતુ આ નોટોનું છાપકામનું કામ ત્યારે જ શરૂ થઈ ગયું હતું જ્યારે રઘુરામ રાજન ગવર્નર પદ પર હતા.
પરંતુ એવા પુરાવા છે કે રાજન હોદા પર હોવા છતાં રિઝર્વ બેન્કની પ્રેસે પટેલના હસ્તાક્ષર સાથે નોટો છાપવાનું શરૂ કરી દીધું હતું. રસપ્રદ વાત એ છે કે ડિસેમ્બર ૨૦૧૭માં રિઝર્વ બેન્કે નાણાં અંગેની સંસદીય સમિતિને કહ્યું હતું કે તેને સાતમી જૂન, ૨૦૧૬ના રોજે ૨,૦૦૦ની નોટો છાપવાની મંજૂરી મળી ગઇ હતી.
૨૦૦૦ની નોટો રજૂ કરવાનો નિર્ણય લેવામાં રાજનને પાર્ટી બનાવાઇ હતી કે નવી નોટો પર તેમના હસ્તાક્ષર કેમ કરાયા ન હતા તે અંગે રિઝર્વ બેન્ક અને કેન્દ્રીય નાણાં મંત્રાલયને એક અંગ્રેજી અખબારે ઇ મેઇલથી મોકલવામાં આવેલા સવાલો જવાબો મળ્યા નથી. એવી જ રીતે રાજનને મોકલવામાં આવેલા આવા સવાલોનો જવાબ પણ મળ્યો નથી.
જોકે, પટેલે ચોથી સપ્ટેમ્બર સુધી એટલે કે આશરે બે અઠવાડિયા સુધી રાજન પાસેથી હોદો મેળવ્યો ન હતો. હવે તેના કારણે સવાલ એ થાય છે કે જો એ દરમિયાન રઘુરામ રાજન ગવર્નર હતા તો નવી કરન્સી પર તેમની સહી કેમ નથી.
૨૦૦૦ની નોટોનું છાપકામ કરતા રિઝર્વ બેન્કના બે પ્રેસનું કહેવું છે કે તેમણે ૨૨ ઓગસ્ટે પ્રિન્ટિંગ પ્રક્રિયાના પહેલા તબક્કાની કામગીરી શરૂ કરી દીધી હતી. સરકારે ઉર્જિત પટેલને રિઝર્વ બેન્કના નવા ગવર્નર જાહેર કર્યા તે પછીના કામકાજનો એ પ્રથમ દિવસ હતો.