210 સરકારી વેબસાઈટોએ આધાર કાર્ડની માહિતી કરી સાર્વજનિક, RTIમાં થયો ખુલાસો
યૂઆઈડીએઆઈ એ કહ્યું તેના તરફથી આધારને ક્યારેય સાર્વજનિક નથી કર્યા. સંસ્થાએ કહ્યું શૈક્ષિક સંસ્થાઓ સહિત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના વિભાગોની લગભગ 210 વેબસાઈટો પર લાભાર્થિઓના નામ, એડ્રેસ, અન્ય જાણકારીઓ અને આધારના આંકડાઓ આમ જનતાની સૂચના માટે સાર્વજનિક કરી દીધા છે. તેમણે એક આરટીઆઈના જવાબમાં કહ્યું કે સંસ્થા તેના પર ધ્યાન આપી રહી છે અને આ વેબસાઈટો પરથી આધારની માહિતી હટાવી લેવામાં આવી છે.
નવી દિલ્લી: કેન્દ્ર સરકારે વિભિન્ન યોજાનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત કર્યો છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારી 200થી વધુ વેબસાઈટોએ કેટલાક લાભાર્થીઓના નામ અને રેહઠાણની માહિતી સાર્વજનિક કરી દીધી છે. આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAIએ એક આરટીઆઈના જવાબમાં કહ્યું કે, તેમણે આ ઉલ્લંઘન પર યોગ્ય પગલા લીધા છે. અને જાણકારી પણ વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવી છે.
યૂઆઈડીએઆઈએ કહ્યું કે, તેના તરફથી પ્રાઈવસી મજબૂત કરવા માટે નિયમિત આધાર પર સુરક્ષાની તપાસ કરવામાં આવે છે. તે સિવાય ડેટાને વધુ સુરક્ષિત બનાવવા માટે દરેક સંભવિત પગલા પણ લેવામાં આવ્યા છે.
જો કે આ સ્પષ્ટા નથી થઈ કે માહીતી ક્યારે સાર્વજનિક કર., યૂઆઈડીએઆઈ 12 આંકડાની વિશિષ્ટ ઓળખની સંખ્યા જાહેર કરે છે જે દેશમાં ગમે ત્યાં ઓળખ અને રહેઠાણની સાબિતી હોય છે. ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકારે વિભિન્ન સામાજિક સેવા યોજનાઓનો લાભ લેવા માટે આધાર ફરજિયાત કરી દીધો છે.