મથુરાઃ જેલમાંથી ત્રણ કેદી દીવાલ કૂદીને ફરાર થઈ જતા મચી ચકચાર, ચાર અધિકારી સસ્પેન્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jan 2018 11:18 AM (IST)
1
આ કેદી જેલ બરોબર વચ્ચે આવેલી બેરેકમાં હતા. રવિવારે રાતે દીવાલ કૂદી ભાગવાનો 4 કેદીઓએ પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમાંથી એક ભાગી શક્યો નહોતો. તેને પકડી લેવામાં આવ્યો છે. જેલની આ ઘટના સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે.
2
બિહારના સારણમાં પોલીસને થાપ આપી 28 ડિસેમ્બરન રોજ એક કેદી ફરાર થઈ ગયો હતો. કેદીને પકડવા માટે પોલીસે ઘણી કોશિશ કરી પરંતુ પકડાયો નહોતો. પોલીસ ફરાર કેદીને પકડવા માટે તેના સંભિત ઠેકાણા પર રેડ કરી રહી છે.
3
મથુરાઃ મથુરામાં કાચા કામના ત્રણ કેદી જેલમાંથી દીવાલ તોડીને ભાગી ગયા હોવાની ઘટના સામે આવી છે. રવિવારે મોડી રાતે આ ઘટના બની હતી. ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ઘટના બાદ તંત્ર દ્વારા જેલના 4 અધિકારીઓ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.