નોટબંધીનો આજે 35મો દિવસઃ 3 દિવસ બાદ આજે ખુલશે બેંક, જાણો મહત્ત્વની વાતો
બીજી બાજુ વધુમાં વધુ નોટો બેંકો સુધી પહોંચાડવા માટે સેનાના 200 જવીન એમપીના દેવાસમાં નોટ પ્રિન્ટિંગ મશીનમાં છાપકામમાં લાગ્યા છે.
બીજી બાજુ એપીબી દ્વારા રિયાલિટી ચેક કરતાં જાણવા મળ્યું કે 6 બેંકોના 1064 એટીએમમાંથી માત્ર 107માં જ રોકડ મળી જ્યારે બાકીના 957 એટીએમ ખાલી હતા. તેનો સ્પષ્ટ મતલબ છે કે નોટબંધીના 35 દિવસ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો નથી. લોકોને આજે પણ રોકડ માટે હાલાકી ભોગવવી પડે છે.
આજથી પેટ્રોલ પંપ પર કાર્ડ પેમેન્ટ કરવા પર 0.75 ટકાની છૂટ મળશે. જો તમે પેટ્રોલ પંપ પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પેટ્રોલ અથવા ડીઝલ પૂરાવો છો તો તમને કુલ કિંમતમાં 0.75 ટકાની છૂટ મળશે. સરકારની ઈચ્છા પેટ્રોલ પંપ પર પીએસયૂને પ્રોત્સાહન આપવાની છે. પેટ્રોલ પંપ પર ક્રેડિટ, ડેબિટ કાર્ડ અથવા મોબાઈલ વોલેટ દ્વારા પેમેન્ટ કરશો તો ડિસ્કાઉન્ટની રકમ આવતા ત્રણ દિવસમાં તમારા એ જ ખાતામાં જમા થઈ જશે.
આજે ત્રણ દિવસની રજા બાદ બેંકો ખુલશે. એવામાં આજે એટીએમ અને બેંકોમાં ભીડ થવાની શક્યતા દર્શાવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે, 95 ટકા એટીએમ અપડેટ થઈ ગયા છે પરંતુ મોટાભાગના એટીએમમાં હજુ પણ રોકડ નથી. એવામાં બેંકમાં ભીડ થવાની પૂરે પૂરી શક્યતા છે.
નવી દિલ્હીઃ નોટબંધીને આજે 35મો દિવસ છે. પીએ મોદીએ નોટબંધી માટે દેશ પાસે પચાસ દિવસ માગ્યા હતા. ત્યાર બાદ આ પચાસ દિવસને આડે હવે માત્ર 17 દિવસ બાકી છે અને રોકડની મુશ્કેલીમાં લોકોને કોઈ રાહત મળી નથી.