ઉત્તરાખંડ: ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 6 લોકો દટાયા, 4નાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Aug 2018 05:15 PM (IST)
1
એક ઈજાગ્રસ્ત બાળકીને બાહર કાઢવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ લોકો હજુ પણ માટીમાં ફસાયા છે. એસડીઆરએફ અને ક્યૂઆરટી ટીમ બચાવ કાર્યમાં લાગી છે.
2
જાણકારી મુજબ, તેહરી ઘરવાલમાં ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 6 લોકો દટાયા હતા. જેમાંથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. રાહત બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ચાર મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.
3
દેહરાદૂન: ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે તેહરી ઘરવાલમાં ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 6 લોકો દટાયા હતા. જેમાંથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બદરીનાથ હાઈવે છઠ્ઠા દિવસે પણ બંધ રહ્યો હતો. દેહરાદૂનમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.