મુંબઈમાં મેઘતાંડવઃ 2 બાળકો સહિત 5ના મોત, રેડ એલર્ટ જાહેર

મુંબઈની શેરીઓ ત્યારે નદીઓ બની ગઈ હોય એવું લાગતું હતું. કેટલાક લોકો તો ત્રણ દિવસે મુંબઈમાં પોતાના ઘરે પહોંચી શક્યા હતા. ૨૦૦૫ના આફતના વરસાદમાં મુંબઈનું બંદર લગભગ ચાર દિવસ બંધ રહ્યું હતું. મુંબઈનું એરપોર્ટ પણ બંધ રહ્યું હતું. મુંબઈના ઔદ્યોગિક એકમો ઠપ થઈ ગયા હતા. એ સમયે શેરબજાર બંધ થવાના કારણે કરોડોનું નુકસાન થયું હતું.
મુશળધાર વરસાદના કારણે શહેરની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. મંગળવારે આખો દિવસ મુંબઈમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો અને હજુ પણ હવામાન વિભાગે બુધવારે અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. વરસાદના લીધે સર્જાયેલી ગંભીર સ્થિતિના કારણે મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વિનોદ તાવડેએ શાળા અને કોલેજોને બુધવારે બંધ રાખવા માટે સૂચના આપી છે. મેઘતાંડવની વધુ તસવીરો જોવો આગળની સ્લાઈડ્સમાં....
મુંબઈઃ મુંબઇમાં ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે. રેલ, ટ્રેન અને માર્ગ સહિતનો વાહન વ્યવહાર ખોરવાતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે. 20 ઈંચ વરસાદ અને ભરતીની સ્થિતિને પગલે મુંબઇમાં રેડ એલર્ટ જારી કરી દેવાયું છે. કુદરતના પ્રકોપ સામે સેટેલાઇટ અને મેગાપોલિસ શહેર ઘૂંટણિયે પડી ગયું છે. અનેક ટ્રેન અને હવાઇ સેવાઓ રદ કરાઇ છે. આ મેઘતાંડવમાં 2 બાળકો સહિત 5ના મોત થયાના અહેવાલ છે.
લોકોને જુલાઇ 2005નો વિનાશક વરસાદ યાદ આવી ગયો છે. છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ઘૂસી ગયાં છે. આગામી 48 કલાક ભારે હોવાને કારણે સરકારે એડવાઇઝરી જારી કરીને લોકોને ઘર અથવા ઓફિસમાંથી બહાર ન નીકળવા સલાહ આપી છે.
મુંબઈમાં વરસાદ અને પૂરની ભયંકર સ્થિતિ ૧૨ વર્ષ અગાઉ ૨૦૦૫માં જોવા મળી હતી. ત્યારે રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર પર મેઘરાજાએ કહેર વરસાવ્યો હતો. તેમાં ૮૫૦થી વધુ લોકોનાં મોત થયા હતાં. એકલા મુંબઈમાં જ મૃતકોની સંખ્યા ૫૦૦થી વધુ હતી. એક જ દિવસમાં ૯૪ સેમી વરસાદ પડ્યો હતો.