✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમૃતસર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેકની ચારે બાજુ લાશોનો થયો ઢગલો, લોકો પોતોના પરિવારજનોના શોધતા હતા શરીરના અંગો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Oct 2018 10:39 AM (IST)
1

આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક તરફ રાવણનું બાળવા તેમાં રાખેલા ફટાકડાથી અને આભને અડતી તેની જ્વાળાથી બચવા લોકો પાછળ પાછળ હટી રહ્યા હતાં, તેવામાં ટ્રેક પરથી પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનની ઝપટમાં સેકન્ડ્સની ગણતરીમાં લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતાં.

2

ઘટના અંગે ઉત્તર રેલવેના સીપીઆરઓનું કહેવું છે કે ‘ટ્રેકની બાજુમાં રાવણનું 70-80 ફૂટનું પૂતળું બનાવાયું હતું. જેનું દહન કરવામાં આવતા સળગતું પૂતળું પડવા લાગ્યું જેનાથી બચવા લોકો ટ્રેક પર આવી ગયા અને તે જ સમય પસાર થતી ફાસ્ટ ટ્રેનની ઝપટમાં આવવાથી આ દુર્ઘટના ઘટી છે.’ રેલવેએ આ સાથે હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે. તો રાજ્ય સરકારે મૃતકો માટે 5-5 લાખ રુપિયાનું વળતર જાહેર કર્યું છે.

3

અમૃતસર ટ્રેજેડી દરમિયાન એક તરફ રાવણ દહન થઈ રહ્યું હતું અને બીજી તરફ જોતજોતામાં 61થી પણ વધુ લોકો પર ટ્રેન ફરી વળી હતી. ચૌડા ફાટક પર રેલવે દુર્ઘટના બાદ હાહાકાર મચી ગયો હતો. ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, રાવણ દહન થઈ રહ્યું હતું અને તમામ લોકો એટલા મશગૂલ હતા કે ટ્રેનનો અવાજ કે હોર્ન પણ સાંભળી શક્યા નહોતા. ન તંત્રને આ બાબતે પરવાહ હતી અને દશેરા કમિટીને રેલવે ટ્રેક અંગેની કોઈ ચિંતા.

4

ઘટના બાદ પોતાના પરિવારજનને ગુમાવી દેનાર એક વ્યક્તિએ કહ્યું કે, ‘દશેરાનો કાર્યક્રમ થતો હતો અને આટલી મોટી ભૂલ થઈ ગઈ તંત્રને કે કાર્યક્રમ કરનાર કમિટીએ ટ્રેન પાટા પર લાલ ઝંડી રાખવાની જરૂર હતી.

5

તેમની નાનકડી ભૂલથી અનેક પરિવારનો ઉજડી ગયા. જો રેલવે ટ્રેકની પાસે જ રાવણ દહન કરવું હતું તો ટ્રેન ધીમી કરવાનો અથવા ટ્રેનને અટકાવી દેવાની વ્યવસ્થા કરવી જોઈતી હતી. અત્યારે તો સ્થિતિ એ છે કે ટ્રેકની ચારે બાજુ કચડાયેલા અને છિન્નભિન્ન થયેલા મૃતદેહો પડ્યા છે અને લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે.

6

ચંડીગઢઃ અમૃતસર રેલવે દુર્ઘટના બાદના દ્રશ્યો ખૂબ જ કરુણા અને ભય ઉપજાવનારા હતા. આ કરુણાંતિક બાદ રેલવે ટ્રેકની ચારે બાજુ ફક્ત લોકોનાં કપાયેલા મૃતદેહો જ પડ્યા હતા. ઘટના બાદ જ્યાં થોડા સમય પહેલા હર્ષોલ્લાસનું વાતાવરણ હતું, ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા અને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું ત્યાં દુખ અને આક્રંદનું વાતાવરણ છવાઈ ગયું. રાવણ દહનનો ઉત્સવ મનાવતા લોકો પર કાળનું ચક્ર બનીને ટ્રેન પસાર થઈ અને એક સાથે સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારતી ગઈ હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • અમૃતસર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેકની ચારે બાજુ લાશોનો થયો ઢગલો, લોકો પોતોના પરિવારજનોના શોધતા હતા શરીરના અંગો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.