✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેરળમાં ‘નિપાહ’ વાયરસથી 9નાં મોત, જાણો કેવી રીતે પડ્યું વાયરસનું નામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 May 2018 03:18 PM (IST)
1

કોઝિકોડઃ કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે 9 લોકોનાં મોત થયા છે. રાજ્યના આરોગ્ય સત્તાધીશોના કહેવા મુજબ આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા, ડુક્કર અને અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાય છે. અમુક અહેવાલમાં મોતનો આંકડો 12 હોવાનું કહેવાયું છે.

2

રાજ્યના હેલ્થ સેક્રેટરી રાજીવ સદાનદાનના કહેવા મુજબ, અમે 9 લોકોના મોતના પુષ્ટિ કરી છે. જેમાંથી 3 લોકોના નિપાહ ટેસ્ટ પોઝિટિવ છે. અમે અન્ય સેમ્પલ પુણેની નેશનલ વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટમાં મોકલી આપ્યા છે.

3

ભારતમાં આ વાયરસ પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં 2001માં સામે આવ્યો હતો. વાયરસથી પ્રભાવિત લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અને બાદમાં મગજમાં બળતરા થાય છે. સમયસર સારવાર ન મળવાથી મોત થાય છે. હજુ સુધી આ વાયરસ સાથે સંકળાયેલી કોઈ રસી શોધાઈ નથી.

4

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી)ની ટીમ કેરળમાં નિપાહ વાયરસની પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે તેમ કહેવમાં આવી રહ્યું છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની કમિટી પણ વાયરસની માહિતી એકત્ર કરી રહ્યું છે.

5

કેરળ સરકારે આ વાયરસનો મુકાબલો કરવા માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. જે બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એનસીડીસીની ટીમને કેરળની મુલાકાત લેવાનો આદેશ આપ્યો છે.

6

આ વાયરસ 1998માં પ્રથમ વખત મલેશિયાના કાંપુંગ સુંગઈ નિપાહ વિસ્તારમાં સામે આવ્યો છે. જેથી વાયરસને નિપાહ નામ આપવામાં આવ્યું. પહેલાં તેની અસર ભુંડમાં જોવા મળી હતી. 2004માં આ વાયરસ બાંગ્લાદેશમાં ફેલાયો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • કેરળમાં ‘નિપાહ’ વાયરસથી 9નાં મોત, જાણો કેવી રીતે પડ્યું વાયરસનું નામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.