દિલ્હી: ઇમારત ધરાશાયી થતાં 6 ના મોત, 12 લોકો દબાયા હોવાની આશંકા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jan 2019 11:16 PM (IST)
1
નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીમાં એક ઇમારતમાં છત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા છે. દિલ્હીન મોતીનગરના સુદર્શન પાર્ક સ્થિત ડી બ્લોકમાં ઘરની અંદર એક સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો., જેના કારણે છત પડવાથી 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 12 જેટલા લોકો દબાયા હોવાની આશંકા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર છે.
2
3
મળતી માહિતી પ્રમાણે ઇમારતમા પંખા બનાવવાની ફેક્ટ્રી છે. ફેક્ટરી અંદર કંપ્રેસરમાં બ્લાસ્ટ થયો છે જેના કારણે છત ધરાશાયી થઈ. રાહત અને બચાવ કાર્ય ચાલું છે.