આધાર કાર્ડ વગર આ 36 સરકારી સેવાઓનો નહીં મળે લાભ, હવે આ યોજના પણ જોડવામાં આવશે

સાક્ષર ભારત યોજના અને સર્વ શિક્ષા અભિયાન સાથે જોડાયેલ સુવિધાઓનો લાભ લેવા માટે પણ આધાર ફરજિયાત છે. ઉપરાંત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્ટાફને આપવામાં આવતી રકમ માટે પણ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આધાર ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
સામાજિક ન્યાય મંત્રાલયે પણ આધાર કાર્ડને 6 સ્કોલરશિપ યોજનાનો લાભ લેવા માટે ફરજિયાત બનાવી છે. ઉપરાંત એસસી/એસટી માટે ઇન્ટરકાસ્ટ લગ્ન માટે મળતી રકમ માટે પણ આધારની વિગતો આપવી જરૂરી રહેશે. એચઆરડી મંત્રાલયે કોલેજ અને યૂનિવર્સિટી સ્ટુડન્ટ્સ માટે કેન્દ્રીય સ્કોલરશિપનો લાભલેવા માટે આધાર કાર્ડને ફરજિયાત કર્યું છે અથવા આધાર અટેચ કરવું જરૂરી રહેશે.
અધિકારીઓ અનુસાર, આવનારા દિવસોમાં સરકાર પ્રત્યક્ષ સબસિડી લાભ ટ્રાન્સફર કાર્યક્રમ અંતર્ગત આવનારી તમામ 84 સરકારી યોજનાઓ માટે પણ આધારકાર્ડ જરૂરી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, જે લોકો પાસે આધાર કાર્ડ નથી તે 30 જૂન સુધી તેના માટે અરજી કરી શકે છે અને દસ્તાવેજ જમા કરાવ્યા બાદ યોજનાનો લાભ લઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં મળતી તમામ સરકારી સુવિધાઓને આધાર કાર્ડ સાથે જોડવામાં આવે છે. તેની પાછળ સરકારનો ઉદ્દેશ વધતી છેતરપિંડી રોકવાનો છે.
વિતેલા સપ્તાહે પણ આધાર કાર્ડને 34 યોજનાઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. તેમાં રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અને દીનદયાળ અંત્યોદય યોજનાને પણ સામેલ કરવામાં આવી હતી. જ્યારે આધાર એલપીજી સબસિડી અને પીડીએસ દ્વારા રાશન માટે પહેલેથી જ ફરજિયાત છે.
સરકારી સૂત્રો અનુસાર જે બાળકોની પાસે આધારકાર્ડ નથી તે 30 જૂન સુધી પોતાની સ્કૂલના માધ્યમથી આધારકાર્ડ બનાવડાવી શકે છે અને તે આધાર કાર્ડ નહીં કઢાવે તો તેને મધ્યાહન યોજના જેવી સરકારી યોજનાનો લાભ નહીં મળે. ઉપરાંત આધાર કાર્ડ ન હોવા પર અન્ય 30 સરકારી યોજનાઓનો લાભ પણ નહીં મળે.
નવી દિલ્હીઃ મોદી સરકારે મધ્યાહન ભોજન અને સર્વ શિક્ષા અભિયાન સહિત અંદાજે 36 કેન્દ્રીય યોજનાઓને આધાર કાર્ડ સાથે જોડી દીધી છે. તેનો મતલબ એ થયો કે, દેશના કોઈપણ નાગરિક જો આ સરકારી યોજનાઓનો લાભ લેવા માગે છે તો તેણે 30 જૂન સુધી આધાર કાર્ડ બનાવડાવી લેવું પડશે. તમને જણાવીએ કે, દેશના મોટાભાગના રાજ્યોમાં 5થી 18 વર્ષની ઉંમરના 75 ટકા બાળકોની પાસે આધાર કાર્ડ છે, જ્યાં આ ફરજિયાત કરવામાં આવ્યા છે. અંદાજે તમામ વયસ્ક પાસે આધારકાર્ડ છે.