✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘ગૌહત્યાના નામે હત્યા કરનારાઓએ હવે આતંકીઓ સામે લડવા જવું જોઈએ ’, ક્યા હિન્દુવાદી નેતાએ કર્યો આ કટાક્ષ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jul 2017 10:26 AM (IST)
1

તેમણે આગળ કહ્યું કે, અમે સરકારને સાઈલન્સ ઝોનના બહાને ઉત્સવ ખતમ કરવા નહીં દઈએ. મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાને ખતમ કરવા નહીં દઈએ. એટલું જ નહીં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સરકારને પોતાની હદમાં રહેવાની ચીમકી પણ આપી અને કહ્યું કે, અમે અમારા તહેવાર પર કોઈની પણ દખલ સહન નહીં કરીએ.

2

ઠાકરેએ કહ્યું કે, હાલમાં મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવો પર નિયમ કાયદાનો ડર બતાવીને ઉત્સવોને ખતમ કરવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ સરકારને એ નથી ખબર કે મંત્રાલયોથી વધારે ભીડ મંદિરોમાં લાગે છે. આખરે જે લોકોને મંદિરોની આરતીથી પરેશાની થાય છે તેને સવારની અજાનથી મુશ્કેલી કેમ નથી થતી.

3

1996માં જ્યારે અમરનાથ યાત્રા પર હુમલો થયો હતો અને સમગ્ર યાત્રા પર આતંકી હુમલાનું જોખમ હતું ત્યારે બાલા સાહેબ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો અમરનાથ યાત્રા પર આતંકી હુમલો થાય તો મુંબઈ સહિત સમગ્ર દેશમાંથી હજ માટે એક પણ ફ્લાઈટ નહીં ઉડે. ઉદ્ધવ ઠાકરેએ આ જ ઘટનાનું ઉદાહરણ આપતા કહ્યું કે, હવે શું હિન્દુત્વવાદી સરકરમાં દમ નથી રહ્યો, લાગે છે કે હવે અમેરિકાના રાષ્ટ્રપતિએ ગન લઈને હિન્દુત્વની રક્ષા કરવી પડશે.

4

મુંબઈઃ આતંકીઓ દ્વારા અમરનાથ યાત્રિઓ પર હુમલા બાદ પ્રથમ વખત શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર મોટો હુમલો કર્યો છે. ગૌરક્ષકોના બહાને સરકારના આડે હાથ લેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જે ગૌરક્ષક ગૌમાંસના નામ પર હત્યા કરીને ફરી રહ્યા છે, ગૌરક્ષાના નામે પાખંડ મચાવી રહ્યા છે તેમણે હવે આતંકીઓ સાથે લડવા જવું જોઈએ.

  • હોમ
  • India-news
  • દેશ
  • ‘ગૌહત્યાના નામે હત્યા કરનારાઓએ હવે આતંકીઓ સામે લડવા જવું જોઈએ ’, ક્યા હિન્દુવાદી નેતાએ કર્યો આ કટાક્ષ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.