રોહિંગ્યા મુસ્લિમ બધા આતંકવાદી નથી: મમતા બેનર્જી
મમતાએ કહ્યું કે, બધા સમાન્ય લોકો આતંકવાદી નથી. કેટલાક આતંકવાદી હોઈ શકે છે અને તેને આતંકવાદીઓ ગણવામાં આવશે. આતંકવાદી અને સામાન્ય લોકો વચ્ચે એક અંતર છે. દરેક સમુદાયમાં સારા અને ખરાબ લોકો હોય શકે છે. પરંતુ એક સમુદાય એક સમુદાય હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, જો કોઈ આતંકવાદી ત્યાં છે, તો સરકારે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ લોકોને તેની સજા આપવી ન જોઈએ. મમતાએ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને શરણાર્થીઓની સૂચી તૈયાર કરવા કહેવા કહ્યું છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તે રોહિંગ્યાના મુદ્દા પર હસ્તક્ષેપ ના કરે, કારણ કે, તેને નિર્વાસિત કરવું એક નીતિગત નિર્ણય છે અને તેમાં કેટલાક પાકિસ્તાની આતંકવાદી સમુહ સાથે જોડાયેલી હોઈ શકે. ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ સોમવારે કહ્યું કે, રોહિંગ્યા શરણાર્થીઓને કાઠવું દેશના હિતમાં છે. પરંતુ તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ કહ્યું કે, તેનું પરિણામ નિર્દોષ લોકો દ્વારા ના ભોગવે.
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે રોહિંગ્યા મુસ્લિમ મુદ્દા પર જોર આપતા કહ્યું કે, બધા રોહિંગ્યા આતંવાદી નથી, જ્યારે કેન્દ્ર સરકાર પોતાના નિર્ણય પર કાયમ છે. તેમાં કેટલાક પાકિસ્તાની આતંકવાદી સમૂહોથી જોડાયેલા હોય શકે છે અને આ તમામને પાછા મોકલવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -