ગોવાઃ કોંગ્રેસના નેતાની ભાજપને સલાહ, ધારાસભ્યો 15-15 ગાયો પાળે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jul 2017 08:24 AM (IST)
1
ગોવાના પૂર્વમુખ્યમંત્રી પ્રતાપ રાણે એ કહ્યું કે, જ્યારે ગાય ઘરડી થઇ જાય ત્યારે હું તેની સાથે શું કરું. આ એક મોટી સમસ્યા છે. આપણે પ્રગતિશિલ રાજ્યના રૂપમાં આ વિષય પર વિચારવું જોઇએ. તમે બધાએ 15-15 ગાયો પાળવી જોઇએ. રસ્તાઓ પરની ગાયોને પોતાના ઘરે લઇ જાવ અને તેની સારસંભાળ કરો.
2
પણજી: ગોવામાં કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ રાણેએ ભાજપના ધારાસભ્યને 15-15 ગાય પાળવ કહ્યું. જેથી પશુપાલક ખેડુતોની સમસ્યા સમજી શકે. તેમણે મુખ્યમંત્રી મનોહર પારિકરે આપેલા ગૌમાંસ અંગેના નિવેદનનો બાચાવ કર્યો હતો. પારિકરેના આ નિવેદન પર વિએચપીએ વિરોધ પણ કર્યો હતો. ગોવા વિધાનસભાના ચાલી રહેલા ચોમાસુ સત્રમાં બજેટ સંબંધિત ચર્ચામાં રાણેએ કહ્યું કે, ખેડુતોને ઘરડી ગાય પાળવું મુશ્કેલ પડી રહી છે.