✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડેરાના મુખ્યમથકે કચરો વાળતો રામ રહીમ કઈ રીતે આતંકવાદી મિત્રની મદદથી બન્યો હતો ડેરા ચીફ ? જાણીને આઘાત લાગી જશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Aug 2017 12:11 PM (IST)
ડેરાના મુખ્યમથકે કચરો વાળતો રામ રહીમ કઈ રીતે આતંકવાદી મિત્રની મદદથી બન્યો હતો ડેરા ચીફ ? જાણીને આઘાત લાગી જશે
1

જોકે, ગામ લોકોના મતે ગુરમીતના ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ બનવા પાછળ ગુરજંત સિંઘનો હાથ હોવાનું માનવામાં આવે છે. તેણે બાબા સતનામને ગન પોઇન્ટ પર ગુરમીતનું નામ જાહેર કરવા દબાણ કર્યું હોવાનું માનવામાં આવે છે. જોકે, આ દાવાને લઇને કોઇ પુરાવા મળતા નથી છતાં ગામના લોકો તેવું માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષા દળોની અથડામણાં ગુરજંત સિંઘને મોહાલીમાં ઠાર મારવામાં આવ્યો હતો.

2

દીકરો ગુરમીતને વૈરાગ્ય લાગી ના જાય તે માટે તેમના પિતાએ 18 વર્ષની ઉંમરમાં તેમના લગ્ન કરાવી દીધા પરંતુ તે સમયે બાબા સતનામની તબિયત ખરાબ રહેતી હતી. બાબા સતનામ બાદ ડેરા સચ્ચા સૌદાના ઉત્તરાધિકારી તરીકે ત્રણ નામની ચર્ચા હતી જેમાં ગુરમીતનું નામ સામેલ નહોતું તેમ છતાં 1990માં દેશભરના પોતાના સમર્થકોને બોલાવી બાબા સતનામે ગુરમીતને ફક્ત 23 વર્ષની ઉંમરમાં પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો.

3

દરમિયાન ગુરમીતનો ગુરજંત સિંઘ નામે એક મિત્ર હતો. તેને પોતાના અંકલની હત્યા મામલે જેલની સજા થઇ હતી. જેલમાં ગુરજંતની ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે ખાસ મિત્રતા થઇ હતી. ગુરજંત જેલની બહાર આવ્યો ત્યારે તે એક ખાલિસ્તાની આતંકવાદી બની ગયો હતો.

4

બાબા સતનામે સાત વર્ષની ઉંમરમાં ગુરમીત સિંહને રામ રહીમ ઇસા નામ આપ્યું હતું. ગુરમીતે 10મા સુધી અભ્યાસ કર્યો બાદમાં સિરસામાં સતનામ આશ્રમમાં રહેવા લાગ્યો હતો.

5

જેને કારણે બાબા રામ રહીમના પિતા અને માતા નસીબ કૌર બાબા સતનામ સાથે જોડાઇ ગયા હતા. પિતાના કારણે ગુરમીત પણ સિરસા જતો હતો અને ત્યાં સતનામના આશ્રમમાં પિતા સાથે સેવા કાર્ય કરતો હતો. તે પિતા સાથે આશ્રમમાં કચરો વાળવાથી માંડી ટ્રેક્ટર ચલાવવાની સેવા કરતો હતો.

6

તે સમયે સિરસાના બીજા ગુરુ સતનામનો પ્રભાવ હરિયાણા સહિત રાજસ્થાનમાં પણ ફેલાયો હતો. રામ રહીમના પિતા સહિત ગામ લોકો સતનામના દર્શન માટે સિરસા જતા હતા.

7

નવી દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને સાધ્વી પર બળાત્કાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. બાબા રામ રહીમને જેલ મોકલવા પર હરિયાણાની સાથે રાજસ્થાનમાં પણ સન્નાટો ફેલાઇ ગયો છે.

8

બાબા રામ રહીમનો જન્મ 15 ઓગસ્ટ 1976ના રોજ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં થયો હતો. તે જાટ શીખ પરિવારમાં જન્મ્યા હતા. રામ રહીમના પિતા મઘરસિંહ લંબરદાર જમીનદાર હતા. તેમની પાસે 150 વિઘા જમીન હતી. ડેરાની સ્થાપના વેપરવાહ મસ્તાના મહારાજજીએ 1948માં કરી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • ડેરાના મુખ્યમથકે કચરો વાળતો રામ રહીમ કઈ રીતે આતંકવાદી મિત્રની મદદથી બન્યો હતો ડેરા ચીફ ? જાણીને આઘાત લાગી જશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.