અમર સિંહે ક્યા દિગ્ગજ નેતા વિરુદ્ધ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું- ‘મારો વેશ્યાની જેમ ઉપયોગ કર્યો’

દેશમાં રોહિંગ્યા મુસલમાનોને બહાર મોકલવાની ચર્ચા પર અમર સિંહે કહ્યું કે રોહિંગ્યા મુસલમાન આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે. દેશમાં ટ્રેનોના પાટા ઉખડી રહ્યા છે આ તેમનું કાવતરું છે. આ મુદ્દા પર પ્રધાનમંત્રી જે પણ નિર્ણય લેશે તે યોગ્ય હશે.
તે દરમિયાન અમરસિંહે સપા પર આક્રમક વલણ અપનાવ્યું હતું, જ્યારે ભાજપા અને સંઘ પ્રતિ નરમ વલણ જોવા મળ્યું હતું. પ્રધાનમંત્રી મોદી તરફ ઝૂકાવની સાથે ભાજપામાં જોડાવવાની ઈચ્છા તેમનામાં જોવા મળી. જ્યારે ભાજપામાં જોડાવા વિશે પૂછતા તેમને કહ્યું કે ભાજપ પહેલા નિમંત્રણ લઈને આવે, તેના પછી હું જોડાવા વિશે વિચારીશ.
જયપુર: સપાના પૂર્વ નેતા અમર સિંહે મુલાયમ સિંહ પર મોટું વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે મુલાયમ સિંહે મને વેશ્યાની જેમ ઉપયોગ કર્યો છે. તે મને એક વેશ્યાને બોલાવીએ તેવી રીતે છૂપાઈ અને છૂપાવીને બોલાવતા હતા, અમર સિંહે આ નિવેદન જયપુરના એક કાર્યક્રમમાં આપ્યું હતું.