✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમરનાથ યાત્રાળુઓ પર હુમલોઃ PDP MLAના ડ્રાઈવરની અટકાયત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Jul 2017 11:54 AM (IST)
1

આઈજીપી મુનીર ખાને જણાવ્યું કે, તૌસિફ આંતકિઓના સંપર્કમાં હતો તેના કેટલાક પુરાવા મળ્યા છે. કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રાળુઓ પર થયેલા હુમલાની તપાસ માટે છ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે. 10 જુલાઈએ અનંતનાગમાં અમરનાથ યાત્રાળુઓ પર થયેલા હુમલામાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતાં. આ હુમલાને લઈને કેટલાક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યા છે કે, આતંકીઓ સુરક્ષા જવાનોને નહી પણ બસને જ નિશાન બનાવવા માંગતા હતા.

2

પોલીસે જણાવ્યું કે, તૌસિફ પર આતંકવાદીઓ સાથે સંબંધ રાખવાનો આરોપ છે જેના કારણે તેની પુછપરછ કરવામાં આવી હતી. એજાજ ઉપરાંત બીજા બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પણ હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. તૌસિફ સાત મહિના પહેલા ધારાસભ્ય એજાજને ત્યાં ડ્રાઇવર તરીકે લાગ્યો હતો. આ પહેલા તે જમ્મુ-કાશ્મીર પોલીસના સિક્યોરિટી વિંગમાં હતો.

3

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર પોલીસે અમરાનાથ યાત્રીઓ પર થયેલા આતંકી હુમલા મામલે તૌસિફ અહમદ નામના એક વ્યક્તિની અટકાયત કરી છે. અટકાયત કરવામાં આવેલ વ્યક્તિ પીડીપીના ધારાસભ્ય એજાજ અહમદ મીરનો ડ્રાઈવર હોવાનો ખુલાસો થયો છે. તૌસિફ અહમદ પુલવામાનો રહેવાસી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • અમરનાથ યાત્રાળુઓ પર હુમલોઃ PDP MLAના ડ્રાઈવરની અટકાયત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.