અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, 28 જૂનથી યાત્રાનો થશે પ્રારંભ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Mar 2018 09:47 PM (IST)
1
અમરનાથ યાત્રા પર જનારા યાત્રિઓ માટે સારી વાત આ છે કે આ વખતે યાત્રાની સમય વધારીને બે મહિના કરવામાં આવ્યો છે. વર્ષ 2017માં યાત્રા 40 દિવસ હતી. યાત્રાનો સમય વધારવાથી વધુ શ્રદ્ધાળુઓ બર્ફાની બાબાના દર્શન કરી શકશે.
2
અમરનાથ શ્રાઈન બોર્ડે પ્રમાણે 13 વર્ષથી ઓછી ઉંમર અને 75 થી વધુ ઉંમરના વ્યક્તિ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે નહીં. તેની સાથે ગર્ભવતી મહિલા અને શારીરિક રીતે બીમાર લોકો પણ નહીં કરાવી શકે. આ સંબંધિત બોર્ડે સ્વાસ્થ્ય સંબંધી દિશા નિર્દેશ પણ જાહેર કર્યા છે.
3
નવી દિલ્લી: અમરનાથ યાત્રા માટે 1 માર્ચથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ વર્ષે બાલટાલ અને પહલગામ બન્ને માર્ગો પરથી યાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ અનુસાર પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ કાશ્મીર બેન્ક તથા યસ બેન્કની 440 શાખાઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકાશે.