આતંકી ખતરાની વચ્ચે અમરનાથ યાત્રાની પ્રથમ બેચ જમ્મૂથી રવાના
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jun 2017 10:48 AM (IST)
1
જણાવીએ કે 40 દિવસ લાંબી તીર્થયાત્રા જમ્મૂથી શરૂ થશે. જમ્મૂથી ગુફા સુધીનો રસ્તો 200 કિલોમીટરનો છે. અમરનાથની પવિત્ર ગુફા દક્ષિણ કાશ્મીરના પહાડોમાં આવેલી છે. આ યાત્રા માટે 2.30 લાખ પ્રવાસીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
2
નવી દિલ્હીઃ જમ્મૂ બેસકેમ્પથી અમરનાત યાત્રીઓની પ્રથમ બેચ રવાની થઈ ગઈ છે. આ બેચ જમ્મૂ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી નિર્મલ સિંહના નેતૃત્વમાં કડક સુરક્ષાની સાથે રવાના થઈ છે. પહલગામ અને બાલટાલના રસ્તામાં આતંકી હુમલાની શક્યતા છે. કાશ્મીરમાં વાર્ષિક થનારી અમરનાથ યાત્રા ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. જ્યારે, અહેવાલ અનુસાર આ યાત્રા પર આતંકવાદી હુમલાની શક્યતા છે. પ્રશાસને સેટેલાઇટ ટ્રેકિંગ સિસ્ટમ સામેલ કરવાની સાથે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.