સુષમા સ્વરાજના આકરા વલણ બાદ એમેઝોને માફી માગી, તિરંગાવાળા ડોરમેટ સાઈટ પરથી હટાવ્યા
એમેઝોને ત્રિરંગા જેવું ડોરમેટ તાત્કાલિક વેચાણમાંથી હટાવી લીધું છે. પરંતુ આ જાયન્ટ ઈ-ટેલરની સાઈટ પર બીજી કેટલીક વાંધાજનક પ્રોડક્ટ્સ પણ છે, જે ત્રિરંગાના રંગ જેવી છે. એમેઝોન પર ત્રિરંગાના રંગના જૂતા અને જૂતાની દોરી સાથેનો મેટલનો ગોળ પટ્ટો પણ વેચાઈ રહ્યા છે.
સુષ્મા સ્વરાજે બુધવારે ટ્વીટ કર્યું હતું કે, એમેઝોને બિનશરતી માફી માગવી જોઈએ અને અમારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારી તમામ પ્રોડક્ટ્સ તેની વેબસાઈટ પરથી હટાવી લેવી જોઈએ. જો તે તાત્કાલિક આમ નહીં કરે તો અમે એમેઝોનના કોઈપણ અધિકારીને ભારતના વિઝા નહીં આપીએ.
સુષ્માએ ધમકી આપી હતી કે જો આ ડોરમેટ પાછું નહીં ખેંચાય તો એમેઝોનના કોઈ અધિકારીને વિઝા નહીં આપીએ. કંપનીએ એમેઝોનના પ્રવક્તાએ ધ વોશિંગ્ટન પોસ્ટને કહ્યું હતું કે હવે કંપનીએ તેની વેબસાઈટ પરથી વિવાદાસ્પદ ડોરમેટ હટાવી લીધું છે.
નવી દિલ્હીઃ તિરંગાના કલરનું ડોરમેટના વેચાણને લઈને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના આકરા વલણ બાદ એમેઝોને ભારતીયોની લાગણી દુભાવવા બદલ ગુરુવારે બિનશરતી માફી માગી હતી અને પ્રોડક્ટને કેનેડાની વેબસાઈટ પર હટાલી લીધાની જાણકારી પણ આપી હતી.