તિરંગાવાળું પગલૂંછણિયું વેચવા પર સુષમાની Amazonને ફટકાર
હકીકતમાં અતુલ ભોબે નામની એક વ્યક્તિએ ટિ્વટ કરીને કેનેડામાં વેચાઇ રહેલા ડોરમેટ વિશે જાણકારી આપી હતી અને વિદેશપ્રધાનને મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો.
સુષમાએ ટિ્વટ કરીને કહ્યું હતું કે એમેઝોને તાકીદે અમારા તિરંગાનું અપમાન કરનાર તમામ પ્રોડક્ટ્સને હટાવી દેવી જોઇએ. સુષમાએ ટિ્વટમાં કહ્યું જો આમ તાત્કાલિક નહીં કરવામાં આવે તો અમે કોઇપણ એમેઝોન અધિકારીઓને વિઝા નહીં આપીએ અને પહેલા આપવામાં આવેલા વિઝાને પણ રોકી દેવામાં આવશે.
નવી દિલ્હીઃવિશ્વની સૌથી મોટી અમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોનની ભારતમાં મુશ્કેલી વધી શકે છે. ભારતીય તિરંગાના અપમાન પર ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિદેશપ્રધાન સુષમા સ્વરાજે એમેઝોનને માફી માગવા કહ્યું છે અને પોતાની વેબસાઈટ પરથી તિરંગાનું અપમાન કરતી તમામ પ્રોડક્ટને તાત્કાલીક હટાવવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કેનેડામાં એમેઝોનની વેબસાઇટ પર ભારતીય તિરંગાના રૂપમાં બનેલા ડોરમેટ (પગલૂંછણિયા) વેચવાની ઘટના સામે આવ્યા બાદ એમેઝોનને તાત્કાલિક રીતે તેનું વેચાણ રોકવા અને બિનશરતી માફી માગવા કહેવામાં આવ્યું છે.