2019ની ચૂંટણી જીતવા શાહે અપનાવી T-20 ફોર્મ્યૂલા, MLA-MPને કહ્યું લોકોના ઘરે ઘરે જઇને કરો આ કામ
ભાજપ સારી રીતે જાણે છે કે, કેન્દ્રમાં સત્તામાં રહેવા માટે યુપીમાં વર્ચસ્વ કાયમ રાખવું પડશે. ગોરખપુર-ફૂલપુર અને કેરાના સીટો હાર્યા બાદ હવે બીજેપીએને ચિંતા પેઠી છે, જે અંતર્ગત પાર્ટી નેતાઓની મેરઠ કાર્યકાણીની બેઠકમાં ટી-20 ફોર્મ્યૂલા આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અભિયાન હેઠળ ધારાસભ્યોનો પોતાના વિધાનસભા વિસ્તારમાં અને સાંસદને પોતાના સંસદીય મતવિસ્તારમાં દરેક ગામમાં જઇને 20-20 ઘરોમાં જવાની અને તેમને ત્યાં ચા પીવાની રણનીતિ બનાવી છે. આનો સીધો અર્થ જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે.
અમિત શાહે રવિવારે સાંસદો અને ધારાસભ્યોની સાથે બંધ રૂમમાં બેઠક કરી, તેમા તેમને કહ્યું કે, નેતાઓ પોતાના મતવિસ્તારમાં જાઓ અને લોકોને સરકારી યોજનાઓ વિશે માહિતી આપો. આ માટે તમારે તમારા વિસ્તારના પ્રત્યેક ગામમાં જવું પડશે અનને ઓછામાં ઓછા 20 ઘરોમાં જઇને ચા પીવી પડશે, આ ફોર્મ્યૂલાને ટી-20 નામ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ ભાજપે 2019ની લોકસભા ચૂંટણી જીતવા આ વખતે નવી ફોર્મ્યૂલા અપનાવી છે. ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રમાં એનડીએની સરકાર યથાવત રાખવા માટે મેરઠમાં થયેલી પ્રદેશ કાર્યકારીણીની બેઠકમાં પાર્ટી નેતાઓને ટી-20 ફોર્મ્યૂલા આપી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -