અમિત શાહના કર્ણાટકમાં ધામા, 16 મંત્રી-24 સાંસદોને લગાડ્યા ચૂંટણી પ્રચારના કામે
ઉપરાંત સામાન્ય ચૂંટણી થવાની પણ ચર્ચા પર વાત થશે, કહેવામાં આવે છે કે પાર્ટી કર્ણાટકના પ્રદર્શન પર જ આગળ ચૂંટણી કરાવવાના નિર્ણય પર વિચાર કરી શકે છે.
સુત્રો અનુસાર, જે મંત્રીઓને ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવ્યા છે, તેમાં જેપી નડ્ડા, નરેન્દ્ર સિંહ તોમર, થાવરચંદ ગેહલોત, ધર્મેન્દ્ર પ્રધાન, મનોજ સિન્હા, રાજ્યવર્ધન સિંહ રાઠોર, ગજેન્દ્ર સિંહ શેખાવત, પી પી ચૌધરી, અર્જૂન રામ મેઘવાલ, શિવ પ્રતાપ શુક્લા, પોન રાધાકૃષ્ણન, સત્યપાલ સિંહ, મનસુખ માંડલિયા, બિરેન્દ્ર કુમાર, સી આર ચૌધરી, ડૉ. મહેશ શર્મા સહિતના નેતાઓ સામેલ છે.
માનવામાં આવે છે કે, આ નિર્ણય રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીની દિશા બદલી શકે છે. આવામા ભાજપની સામે આ સૌથી મોટો પડકાર હશે.
કર્ણાટકા વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા સીએમ સિદ્ધરમૈયાએ રાજ્યના લિંગાયત-વીરશૈવ સમુદાયની માંગને માનીને તેને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજજો આપી દીધો. આ નિર્ણય બાદ રાજકારણમાં હલચલ મચી ગઇ છે.
માનવામાં આવે છે કે, ગોરખપુર-ફૂલપુર પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્ણાટક ચૂંટણીની કમાન ખુદ પોતાના હાથમાં લઇ લીધી છે.
રાજકીય જાણકારોનું માનવું છે કે, કર્ણાટકના પ્રદર્શનની અસર વર્ષના અંતમાં થનારી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢની ચૂંટણી પર પણ પડશે. આ જ કારણ છે ભાજપ ચૂંટણીમાં પોતાનો પુરો દમ લગાવશે.
પાર્ટી સુત્રોનું કહેવું છે કે, 16 કેન્દ્રીય મંત્રીઓને ચાર-ચાર વિધાનસભા બેઠકોની જવાબદારી આપવામાં આવી છે. આ નેતાઓએ પ્રવાસ શરૂ પણ કરી દીધો છે. આ બધાને માર્ચના અંત સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો છે.
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાને સર કરવા હવે ભાજપે કમર કસી છે, બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હવે કર્ણાટકમાં ડેરો નાંખ્યો છે. અહીં પાર્ટીએ 16 કેન્દ્રીય મંત્રીઓ, 24 સાંસદો સહિત 55 લોકોની એક ટીમને પ્રચાર માટે ચૂંટણી મેદાનમાં ઉતારી છે.