ભાજપમાં 75થી વધુ ઉંમરના વ્યક્તિને ચૂંટણી લડવા પર કોઈ જ પ્રતિબંધ નથી: અમિત શાહ
ભોપાલ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતા શાહે કહ્યું કે, પાર્ટીમાં એવો કોઈ જ નિયમ નથી અને એવી કોઈ જ પરંપરા નથી કે, 75 વર્ષની ઉંમર પાર કરી ચુકેલા નેતાઓને ચૂંટણી લડવાની અનુમતી ન આપવામાં આવે. તેમણે કહ્યું કે, 75 વર્ષ વટાવનારી વ્યક્તિ પણ ચૂંટણી લડી શકે છે. જણાવી દઈએ કે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને પાર્ટીના માર્ગદર્શક મંટળમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તેના બાદ આ મજબૂત નિશ્ચય સામે આવ્યો હતો કે ભાજપે હવે ચૂંટણી લડવા માટે 75 વર્ષ નક્કિ કરી દીધી છે.
મધ્યપ્રદેશના બે મંત્રીઓ બાબૂલાલ ગૌર અને સરતાજ સિંહના 75 વર્ષ પૂરા કર્યાબાદ મંત્રી પદ પરથી હટાવવાને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં અમિત શાહે કહ્યું, ‘કોને મંત્રી બનાવવું અને નહીં બનાવવું આ રાજ્ય અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને અધિકાર છે, પરંતુ પાર્ટીમાં ના તો એવો નિયમ છે કે ના કે એવી પરંપરા 75 વર્ષની ઉંમરબાદ તમે ચૂંટણી ના લડી શકો, તેઓ ચૂંટણી લડી શકે છે.’ ત્યાં મધ્યપ્રદેશના રાજ્યસભા સાંસદ રહી નજમા હેપતુલ્લાને 75 વર્ષની ઉંમર થતા કેન્દ્રીયમંત્રી પદથી હટાવી મળીપુરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
અમિત શાહ ભોપાલના ત્રણ દિવસની યાત્રા પર છે. તેમણે અયોધ્યામાં રામમંદિરના નિર્માણના પ્રશ્ન પર કહ્યું કે, આ મામલે અમારો સ્ટેંડ સાફ છે અને અમારા ઘોષણાપત્રમાં પણ અમે કહ્યું છે કે, અદાલતનો નિર્ણય બાદ અથવા તો એકબીજાની સહમતીના આધાર પર ત્યાં રામમંદિર બનાવવું જોઈએ.