નવી દિલ્લીઃ આજે આનંદીબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. આનંદીબેન પટેલે ઉંમરનું કારણ આગળ ધરીને ભાજપ હાઈકમાન્ડને પોતાને આ જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. ત્યારે અમિત શાહે આ અંગે નિવેદન આપ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, તેમને આનંદીબેન પટેલનો મુખ્યમંત્રી પદેથી રાજીનામા અંગેનો પત્ર મને મળ્યો છે. તેમણે ઉંમરનું કારણ રજૂ કરીને રાજીનામું સ્વીકારવાની માગણી કરી છે. તેમના રાજીનામા અને નવા મુખ્યમંત્રી તરીકેનો નિર્ણય ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની મીટિંગમાં લેવાશે, તેમ ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું.