PM સાથે નીરવ મોદીની તસવીર પર શું કહ્યું અમિત શાહે ? જાણો વિગત
કોંગ્રેસના આરોપ બાદ ભારત સરકારના મંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, દાવોસ પ્રવાસ દરમિયાન નીરવ મોદી પીએમ મોદીના પ્રતિનિધિમંડળનો હિસ્સો નહોતા. તેમની સાથે સુરક્ષાકર્મી અને સરકારી મીડિયા હતા.
કોંગ્રેસે કહ્યું કે, જ્યારે દાવોસમાં પીએમ મોદીએ નીરવ મોદી સાથે મંચ શેર કર્યો તે સમયે નીરવ મોદી પર કાનૂન અંતર્ગત આરોપ લાગી ચૂક્યા હતા. કોંગ્રેસ નીરવ મોદીનો નાનો મોદી પણ ગણાવી ચૂકી છે.
શાહે આગળ કહ્યું કે, ભારત સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે. અત્યાર સુધી 5000થી વધારે મૂલ્યની ચીજો જપ્ત કરીને રકમ પરત લાવવાનું કામ કરવામાં આવ્યું છે.
શાહે કહ્યું કે, જાહેર જીવનમાં કોઈ કાર્યક્રમમાં કોણ કોની સાથે બેઠું છે તે મુદ્દો બનાવવો જોઈએ નહીં. એક ફોટાને મુદ્દો બનાવવો નિમ્ન કક્ષાનું રાજકારણ છે.
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં નીરવ મોદીની તસવીર વડાપ્રધાન સાથે સામે આવ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના આરોપો વચ્ચે હવે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ખુદ આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે કહ્યું કે, આરોપો પાયાવિહોણા છે.