✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ-કાશ્મીમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસ ચેનાબ નદીમાં ખાબકી, 11 લોકોના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Aug 2018 11:51 AM (IST)
1

જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદે કહ્યું કે, કિશ્તવાડામાં એક દુઃખદ ઘટના બની છે. એક યાત્રાળુઓ ભરેલી બસ માછિત માતાના દર્શને જઇ રહી હતી. ત્યારે આ બસ શ્રદ્ધાળુઓ સાથે ચેનાબ નદીમાં ખાબકી હતી. આ બસ કિશ્તવાડથી પાડર તરફ જઇ રહી હતી. આ દુર્ઘટનામાં પાંચ વર્ષનો એક બાળક બચી ગયો છે. જ્યારે ઓછામાં ઓછા 11 લોકોના મોત નીપજ્યા છે.

2

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં એક ભયાનક અકસ્માત થયો છે. માતાના દર્શન કરવા માટે જઈ રહેલ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ચેનાબ નદીમાં ખાબકી છે. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. જોકે મરનારાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.

3

મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધાળુઓ માછિત માતાના દર્શને જઇ રહ્યા હતા. અત્યાર સુધી 11 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. હજી સુધી એ નક્કી થયું નથી કે આ બસમાં કેટલા લોકો સવાર હતા. જાણકારી પ્રમાણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ-કાશ્મીમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસ ચેનાબ નદીમાં ખાબકી, 11 લોકોના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.