કેજરીવાલનો મોદી પર એટેક, કહ્યું- નાના વેપારીઓ પર નોટબંધી-GST બાદ હવે FDIનો માર
ખેડૂત સઘર્ષ સમિતિના આંદોલનમાં સામેલ થવા મધ્યપ્રદેશ પહોંચેલા સિન્હાએ કહ્યું, 'ભાજપ વિપક્ષમાં હતુ ત્યારે રિટેલ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇનો ભારે વિરોધ કર્યો હતો, હવે કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ ભાજપ સરકારે આને લાગુ કરી દીધું છે.'
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર પર હવે નિશાન તાક્યું છે, શુક્રવારે સરકાર દ્વારા સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા એફડીઆઇના નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે, નાના વેપારીઓ પર મોદી સરકારે એકજ વર્ષમાં ત્રણ ઘા કર્યા છે.
ભાજપના પૂર્વ નેતા કેએમ ગોવિંદાચાર્યએ સિંગલ બ્રાન્ડ કેન્દ્ર સરકારની એફડીઆઇ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ગોવિંદાચાર્યએ કહવું છે કે, આ નીતિઓને લાગુ કરવાનું કારણ આર્થિક સુધારા છે, પણ આના આર્થિક પરિણામ ગંભીર હશે. ગોવિંદાચાર્યનું કહ્યું છે કે એફડીઆઇ લાગુ કરવામાં રાજકારણના બદલે આર્થિક સુધારાની મહત્વની ભૂમિકા છે. તેમને કહ્યું કે ભારત સામે બ્રાઝિલનું પણ ઉદાહરણ છે પણ તેમાંથી કોઇ પ્રેરણા નથી લેવામાં નથી આવી રહી.
કેજરીવાલે ટ્વીટ કરી ક્યું કે, ગયા એકવર્ષમાં વેપારીઓ પર ત્રણ ઘા કરવામાં આવ્યા છે, જેમાં નોટબંધી પછી જીએસટી અને હવે એફડીઆઇનો નિર્ણય છે. કેજરીવાલે લખ્યું કે નાના અને મધ્યમ વેપારીઓ માટે તો મરવાની નોબત આવી ગઇ છે.
યશવંત સિન્હાએ રિટેલ વેપારમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવા અને જુદાજુદા ક્ષેત્રોમાં એફડીઆઇ નિયમોને ઉદાર બનાવવાને ઘાતક ગણાવ્યું છે. સિન્હાએ કહ્યું કે, ભાજપના નેતૃત્વ વાળી સરકારે આ મામલે યુ-ટર્ન લીધો છે.