PM મોદીના ટ્વિટ પર કેજરીવાલની પ્રતિક્રિયા, ટ્વિટમાં આવી કરી ટિપ્પણી
પીએમ મોદીએ આજે સવારે માતા હિરાબાને મળવા ગયા હતા. જેની જાણકારી તેમણે ટ્વિટ કરીને આપી હતી. આ ટ્વિટની પ્રતિક્રિયા ‘આપ’ પાર્ટીના સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે આપી છે. કેજરીવાલે પણ ટ્વિટર પર પીએમના ટ્વિટ પર રિપ્લાય આપીને વિવાદ સર્જ્યો છે.
બીજા ટ્વિટમાં કેજરીવાલે લખ્યું છે કે હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ કહે છે કે તમારી વૃદ્ધ માતા અને ધર્મપત્નીને સાથે રાખવા જોઈએ. પીએમ નિવાસ ઘણું મોટું છે. થોડું મન પણ મોટુ રાખો.
કેજરીવાલે આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, હું મારી માતા સાથે રહું છું. રોજ તેમના આશીર્વાદ લઉ છું. પણ તેનો ઢંઢેરો નથી પીટતો. હું રાજકારણ માટે માતાને બેંકની લાઈનમાં પણ નથી ઉભી રાખતો.
વાયબ્રંટ ગુજરાતના ઉદ્ઘાટન માટે ગુજરાતમાં આવેલા પીએમ મોદીએ આજે સવારે યોગ કરવાને બદલે માતા હિરાબાને મળવા પહોંચ્યા હતા. જેનું ટ્વિટ કરીને માહિતી આપી હતી. પીએમ મોદી આજે રાત્રે 9 વાગ્યે દિલ્લી જવા રવાના થશે.