રાહુલના મંદિર દર્શનને લઈ ઓવૈસીએ કહ્યું- મસ્જિદ કે દરગાહ કેમ ન ગયા?
ઓવૈસીનું આ પહેલું કોઈ વિવાદિત નિવેદન નથી. આ પહેલા તેઓ તેમના નિવેદનના કારણે ચર્ચામાં રહ્યા છે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી, તમને કોઈ પાકિસ્તાની નથી કહેતું...મને 70 વર્ષથી પાકિસ્તાની કહેવામાં આવે છે. હું કોને ફરિયાદ કરું?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલે 27 નાના-મોટા મંદિરોમાં દર્શન કર્યા હતા. બીજી તરફ રાહુલે ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ સંગઠનો અને મુસ્લિમ નેતાઓને જાહેર મંચથી દૂર રાખ્યા હતા. જેને પાર્ટીની છબિ બદલવાની રણનીતિ ગણાવવામાં આવી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ્યારે ગુજરાત નવસર્જન યાત્રાનો આરંભ કર્યો ત્યારે સૌથી પહેલા દ્વારકાધીશના દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલના આ બદલાયેલા રૂપને કોંગ્રેસનું સોફ્ટ હિન્દુત્વ પણ કહેવામાં આવ્યું હતું.
ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક મંદિરોમાં દર્શન કરવા ગયા અને તેમણે મુસલમાનોની અવગણના કરી. તેણે એમ પણ કહ્યું કે, રાહુલ કોઈ મસ્જિદ કે દરગાહ કેમ ન ગયા? એટલું જ નહીં હજુ સુધી તેમની કોઈ મુસ્લિમ નેતા સાથેની કોઈ તસવીર પણ સામે આવી નથી.ઓવૈસીએ શુક્રવારે રાતે હૈદરાબાદમાં એક સભા દરમિયાન કહ્યું કે, જ્યારે અમે ગ્રીન પહેરીશું બધું જ ગ્રીન કરી દઈશું. અમારા રંગની આગળ મોદી કે કોંગ્રેસ કોઈનો રંગ નહીં ટકે, માત્ર અમારો જ રંગ રહેશે. લીલો, લીલો અને લીલો.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરત વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ ફરી એકવાર રાજ્યની મુલાકાતે આવ્યા છે. કેશોદમાં ઉતરાણ કર્યા બાદ સોમનાથ મંદિરમાં જઈને આરતી કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલના મંદિર દર્શનને લઈ ભારતીય જનતા પાર્ટીએ સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ હવે AIMIMના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અસુદ્દીન ઔવેસીએ પણ રાહુલના મંદિર દર્શનની આલોચના કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -