✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતનાં આ રાજ્યમાં બેથી વધારે બાળક હશે તેને નહીં મળે સરકારી નોકરી!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Apr 2017 09:52 AM (IST)
ભારતનાં આ રાજ્યમાં બેથી વધારે બાળક હશે તેને નહીં મળે સરકારી નોકરી!
1

શર્મા અનુસાર, ટ્રેક્ટર આપવા, આવાસ ઉપલબ્ધ કરાવવા અને અન્ય એવા જ લાભવાળી સરકારી યોજનાઓ માટે પણ બે સંતાનની નીતિ લાગુ થશે. રાજ્ય ચૂંટણી પંચના આધીન થનારી પંચાયત, નગર નિગમ અને સ્વાયત્ત પરિષદ ચૂંટણીમાં પણ ઉમેદવાર માટે આ નિયમ લાગુ થશે. રાજ્યના શિક્ષણ પ્રધાન શર્માએ કહ્યું કે, આ નીતિનો ઉદ્દેશ વિશ્વવિદ્યાલય સ્તર સુધીની તમામ કન્યાઓને મફત શિક્ષણ આપવાનો છે. તેમણે કહ્યું કે, અમે ફી, ટ્રાન્સપોર્ટ, પુસ્તક અને છાત્રાલયમાં ભોજન વગેરેની સુવિધા ફ્રીમાં આપવા માગીએ છીએ. તેનાથી સ્કૂલમાં ભણતા બાળકોની સંખ્યામાં ઘટાડાને રોકી શકાશે.

2

અસમના સ્વાસ્થ્ય મંત્રી હિમંત વિશ્વ શર્માએ કહ્યું કે, આ ડ્રાફ્ત જનસંખ્યા નીતિ છે. અમે ભલામણ કરી છે કે, બેથી વધારે સંતાન હોય તેને કોઈપણ સરકારી નોકરી નહીં મળે. તેમણે કહ્યું કે, આ શરતને પૂર્ણ કર્યા બાદ નોકરી મેળવનાર કોઈપણ વ્યક્તિ પોતાના કાર્યકાળના અંત સુધી તેને લાગુ પાડવાની રહેશે.

3

ગૌહાટીઃ ભારતમાં વધતી જનસંખ્યાને લઈને અનેક પગલા લેવામાં આવ્યા, પરંતુ ચીનની જેમ જ તેના પર કોઈ કડક નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે ભારતના અસમ રાજ્યમાં તેને લઈને કડક કાયદો લાવવાની વાત ચાલી રહી છે. અસમ સરકારે ભલામણ કરી છે કે, બેથી વધારે સંતાન હોય તેને સરકારી નોકરી ન આવવાનો નિયમ બનાવવામાં આવે. અસમ સરકારે એક જનસંખ્યા નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેમાં બેથી વધારે સંતાન હોય તેને સરકારી નોકરી ન આપવા અને રાજ્યમાં તમામ કન્યાઓને વિશ્વવિદ્યાલય સુધીનું શિક્ષણ ફ્રીમાં આપવાની ભલામણ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ભારતનાં આ રાજ્યમાં બેથી વધારે બાળક હશે તેને નહીં મળે સરકારી નોકરી!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.