3 રાજ્યોમાં હારથી ભાજપમાં ખળભળાટ, BJPના જ સાંસદે કહ્યું- મોદી વિકાસનો વાયદો ભૂલી ગયા
તેમણે પાર્ટીના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ નિશાન સાધ્યું. કાકડેએ કહ્યું, હું પાર્ટી અધ્યક્ષ અમિત શાહને ચિઠ્ઠી લખીને યોગી આદિત્યનાથ જેવા નેતાઓને બિનજરૂરી નિવેદનો રોકવા માટે કહીશ. કારણકે આ નેતા હનુમાનની જાતિ, રામ મંદિર અને માત્ર શહેરોના નામ બદલવાની જ વાત કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને મળી રહેલી લીડ બાદ ભાજપ સાંસદ સંજય કાકડેએ પાર્ટીના દિગ્ગજ નેતાઓ સામે જ નારાજગી વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે, હું જાણતો હતો કે રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટીને હારનો સામનો કરવો પડશે પરંતુ મધ્યપ્રદેશના પરિણામોએ ચોંકાવી દીધા છે. મને લાગે છે કે 2014માં મોદીએ વિકાસનો જે વાયદો કર્યો હતો તેને કદાચ ભુલી ગયા છે. હવે પાર્ટી રામ મંદિર, મૂર્તિ અને શહેરોના નામ બદલવામાં લાગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -