અનોખા લગ્નઃ દિકરીના લગ્નમાં 90 લોકોને ભેટમાં આપ્યા મકાન, જાણો કોણ છે આ કરોડપતિ
દરેક ઘર 12 બાય 20 ફુટ આકારનું વન રૂમ કિચનવાળું છે. તેમાં બે બારી, બે દરવાજા, લાઈટ ફિટિંગ અને કલર કરાવવામાં આવ્યો છે. અહીં રહેનાર દરેકને ફિલ્ટર પાણી પીવા માટે મળશે. દરેક ઘરની કિંમત સવા લાખ રૂપિયા છે. તેમનો ટાર્ગેટ 108 ઘર બનાવવાનો હતો પરંતુ લગ્ન સુધી 90 ઘર જ બનાવી શકાયા. માટે 90 ઘર ભેટમાં આપવામાં આવ્યા.
પ્રશાંતે ઘર આપતા પહેલા ત્રણ માપદંડો નક્કી કર્યા હતા. પ્રથમ વ્યક્તિ ગરીબ બોય, તે ઝૂંપડામાં રહેતી હોય અને ત્રીજું તે કોઈપણ પ્રકારનો નશો ન કરતો હોત. દુલ્હન શ્રેયાનું કહેવું છે કે, પરિવારનું માનવું છે કે, સમાજને કંઈક આપવું જોઈએ. બસ આ જ વિચારથી પરિવારે ગરીબોને મકાન બનાવીને આપવાનો નિર્ણય કર્યો. તેમના પતિ બાદલ જૈનને પણ આ વિચાર પસંદ પડ્યો.
પ્રશાંતના નામના આ વેપારીએ દિકરીના લગ્નના દિવસે 90 લોકોને તેમના નવા ઘરની ચાવી સોંપી. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે હાલમાં જ કર્ણાટકના માઇનિંગ કિંગ રેડ્ડી ભાઈઓના ઘરે દિકરીના લગ્નમાં 500 કરોડથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
પહેલા તેમણે પોતાની દિકરીના લગ્નનું બજેટ 80થી 90 લાખ રૂપિયા રાક્યું હતું, પરંતુ પોતાના એક ભાજપ ધારાસભ્ય મિત્રની સલાહ પર તેમણે પોતાનો નિર્ણય બદલ્યો.
મુંબઈઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક વેપારીએ પોતાની દિકરીના લગ્નમાં 90 બેઘર લોકોને ઘરની ભેટ આપી છે. લગ્નમાં નકામા ખર્ચ કરવાની જગ્યાએ તેમણે ગરીબ લોકોને ઘર આપવાનો નિર્ણય કર્યો.