અયોધ્યામાં રામ મંદિરના પક્ષકાર મહંત ભાસ્કર દાસનું નિધન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Sep 2017 11:28 AM (IST)

1
તેઓ વર્ષ 1966 સુધી રામ ચબૂતરાના પુજારી રહ્યા હતા. ત્યાર બાદ તેઓ નજીકના મંદિરમાં રહ્યા હતા અને 1986માં ફેજાબાદ નાકામાં હનુમાન મંદિરના મહંત બન્યા હતા.
2
કહેવામાં આવી રહ્યું છે કે, ભાસ્કર દાસને આ ત્રીજો હાર્ટ એટેક આવ્યો હતો. તેના પહેલા તેને 2003 અને 2007માં એટેક આવ્યો હતો.
3
નવી દિલ્લી: નિર્માહી અખાડાના મહંત ભાસ્કર દાસનું 90 વર્ષની વયે શનિવારે સવારે નિધન થઈ ગયું છે. તેઓ અયોધ્યામાં રામ મંદિર કેસના હિંદૂ પક્ષકાર હતા. તેમને ચાર દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સવારે લકવાનો એટેક આવતા અંતિમ શ્વાસ લીધા હતા. અયોધ્યામાં તુલસીદાસ ઘાટ પર આજે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
4
ભાસ્કર દાસનો જન્મ વર્ષ 1929માં ગોરખપૂરના રાનીડીહમાં થયો હતો. ત્યાર બાદ 1946માં તેઓ અયોધ્યામાં ગયા હતા. 1949માં રામ જન્મભૂમિ નામે બાબરી મસ્જિદ કેસ સાથે જોડાયા હતા.