✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભૂસ્ખલન બાદ બદ્રીનાથનો રસ્તો બંધ, અંદાજે 15 હજાર યાત્રી ફસાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 May 2017 07:43 AM (IST)
1

ચમોલીના જિલ્લાધિકારી આશીષ જોશીએ જણાવ્યું કે સીમા સડક સંગઠનના જવાનો કાટમાળને સાફ કરવામાં લાગ્યાં છે અને આવતી કાલે બપોર સુધીમાં હાઈવે પર અવરજવર શરૂ કરી દેવાશે. તેમણે જણાવ્યું કે બદ્રીનાથની યાત્રા પર આવેલા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તેમને જોશીમઠ, પીપલકોટી, કર્ણપ્રયાગ, ગોવિંદઘાટ અને બદ્રીનાથમાં જ સુવિધાજનક સ્થાનો પર રોકાવાનું જણાવાયું છે. હાઈવે જોશીમઠ અને બદ્રીનાથ વચ્ચે વિષ્ણુપ્રયાગ નજીક બંધ છે. બપોર બાદ અચાનક હાથીપહાડ પરથી ચટ્ટાન ધસવાની શરૂ થઈ ગઈ હતી જેના કારણે નેશનલ હાઈવેથી લઈને અલકનંદા નદી સુધીનો મોટો વિસ્તાર કાટમાળથી ભરાઈ ગયો.

2

પ્રશાનના નિર્દેશો પર ગુરુદ્વારા પ્રબંધક કમિટિએ ભોજનની વ્યવસ્થા પણ કરી છે. ચમોલીના જિલ્લાધિકારી આશીષ જોશીના જણાવ્યાં અનુસાર હાઈવે આવતી કાલ સુધીમાં ખુલી જાય તેવી આશા છે. આવામાં યાત્રીઓને કર્ણપ્રયાગ, નંદપ્રયાગ, ચમોલી, પીપલકોટી, જોશીમઠમાં રોકવામાં આવી રહ્યાં છે. બદ્રીનાથમાં હાજર યાત્રીઓને બદ્રીનાથમાં જ રોકાવવાનું કહેવાયું છે.

3

એક અંદાજ મુજબ બદ્રીનાથ ધામમાં 15000 જેટલા યાત્રીઓ ફસાયા છે જ્યારે અન્ય યાત્રા પડાવો પર લગભગ 10000 જેટલા યાત્રીઓ હાજર છે. હાથી પહાડથી બદ્રીનાથ તરફ ફસાયેલા યાત્રીઓને પ્રશાસને ગોવિંદઘાટ ગુરુદ્વારામાં રોકવાની વ્યવસ્થા કરી છે.

4

હાથીપહાડમાં બંને બાજુએ 500થી વધુ નાના મોટા વાહનો ફસાયેલા છે. બદ્રીનાથ ધામમાં ફસાયેલા યાત્રીઓને હાલ ત્યાં જ રોકાઈ જવાનું જણાવાયું છે. જ્યારે બદ્રીનાથ ધામ જનારા યાત્રીઓને જોશીમઠ, પીપલકોટી, ચમોલી વગેરે યાત્રી પડાવો પર રોકાવા જણાવાયું છે.

5

દેહરાદૂનઃ શુક્રવારે બપોરે બદ્રીનાથ માર્ગ પર અંદાજે 15 હજાર યાત્રી ફસાઈ ગયા. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેન (બીઆરઓ)નું કહેવું છે કે, રસ્તો ફરી શરૂ કરવામાં 2 દિવસનો સમય લાગી શકે છે. ભૂસ્ખલન બાદ પ્રશાસને લોકોને રસ્તામાં જ રોકી દીધા છે. બપોરે ત્રણ વાગ્યેને 23 મીનિટ પર હાથી પહાડમાં અચાનક જ ચટ્ટાન તૂટીને પડયા બાદ હાઈવેનો 50 મીટરનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો.

  • હોમ
  • India-news
  • દેશ
  • ભૂસ્ખલન બાદ બદ્રીનાથનો રસ્તો બંધ, અંદાજે 15 હજાર યાત્રી ફસાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.