✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પત્ની સાથે થઈ હતી ભય્યૂજી મહારાજની તકરાર, સુસાઈડ પહેલા આ રીતે વીત્યો હતો અંતિમ કલાક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jun 2018 09:09 AM (IST)
1

ભય્યૂજી મહારાજના મોદીથી લઈ અનેક ટોચના રાજકારણીઓ સાથે સંબંધ હતા.

2

પોલીસ તપાસમાં એવી વાત પણ સામે આવી છે કે ભય્યૂજી મહારાજના બીજા લગ્નની કુહૂને ખબર નહોતી. તે લગ્નમાં પણ નહોતી ગઈ. લગ્ન અંગેની ખબર પડ્યા બાદ કુહૂએ ઘરમાં ઝઘડો પણ કર્યો હતો.

3

ભય્યૂજી મહારાજની પત્ની ડો. આયુષીએ નિવેદનમાં કહ્યું કે, કુહુને હું અને મારી દીકરી પસંદ નહોતા. આ કારણે દીકરીના જન્મ બાદ હું મારી માતાના ઘરે રહેવા જતી રહી હતી. કુહૂ પુણે ગયાના થોડા દિવસો પહેલા જ હું ઇન્દોર આવી હતી અને અહીં સારી રીતે રહેતી હતી.

4

ભય્યૂજી મહારાજના ઘરે કામ કરતાં નોકર અને સેવાદારે પણ પત્ની અને દીકરી વચ્ચે વિવાદની વાત જણાવી. તેમણે કહ્યું કે, દરેક વાત પર તેઓ પત્નીથી વધારે દીકરીનો પક્ષ લેતા હતા. આ કારણે બંનેમાં વિવાદ પણ થતો હતો.

5

પોલીસને આપેલા નિવેદનમાં ભય્યૂ મહારાજની દીકરી કુહૂએ કહ્યું કે, હું ડો. આયુષીને મારી માતા નહોતી માનતી. તેના કારણે પરેશાન થઈને પિતાએ આ પગલું ભર્યું છે. તેને જેલમાં બંધ કરી દો.

6

ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રએ કહ્યું કે, ઘરમાં ભય્યૂ મહારાજ, મા તથા સેવક વિનાયક અને યોગેશ હતા. પત્ની ડો.આયુષી બહાર ગઈ હતી. બે સેવાદારને સવારે 11 વાગે નીચે મોકલી દેવામાં આવ્યા અને પુણેમાં રહેતી દીકરી કુહૂના રૂમમાં જતા રહ્યા હતા. જ્યારે પત્ની બપોરે 12 વાગે આવી તો જોયું કે લાયસન્સવાળી બંદૂક ભય્યૂ મહારાજના હાથ પાસે પડી હતી અને માથામાંથી લોહી નીકળતું હતું. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

7

કહેવામાં આવી રહ્યું છે કે, મંગળવારે આશરે 11 વાગે ભય્યૂજી મહારાજ દીકરી કુહૂના રૂમમાં ગયા ત્યારે તે અસ્ત-વ્યસ્ત હતો. તેમણે પત્ની આયુષીને કહ્યું કે, કુહૂ આવવાની છે. જેને લઈ બંને બચ્ચે તકરાર થઈ. જે બાદ ભય્યૂ મહારાજે નોકરોને કઈ રૂમ વ્યવસ્થિત કરાવ્યો.

8

ભય્યૂજી મહારાજ પ્રથમ પત્નીથી થયેલી દીકરી કુહૂને વધારે પ્રેમ કરતા હતા. બીજા લગ્ન બાદ દીકરીએ તેમનાથી અંતર બનાવી લીધું હતું. બીજી પત્નીથી તેમને ત્રણ મહિનાની દીકરી છે. કુહૂ પુણેથી મંગળવારે જ ઈન્દોર આવી હતી.

9

ઈન્દોરઃ આધ્યાત્મિક ગુરુ ભય્યૂજી મહારાજે ખુદને ગોળી મારી મંગળવારે આત્મહત્યા કરી લીધી હતી. તેમના રૂમમાંથી મળેલી સુસાઈડ નોટમાં તેઓ તણાવમાં હોવાનું લખ્યું છે. પોલીસને પ્રારંભિક તપાસમાં ઘરેલુ વિવાદની વાત સામે આવી છે. પોલીસને આપેલા નિવેદનમાં પત્ની-દીકરીએ એકબીજા સામે આરોપ લગાવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પત્ની સાથે થઈ હતી ભય્યૂજી મહારાજની તકરાર, સુસાઈડ પહેલા આ રીતે વીત્યો હતો અંતિમ કલાક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.