ભાજપના ધારાસભ્યનું એલાનઃ મોદીનું પ્લેન હશે તો પણ નહીં ઉતરવા દઈએ
સોમવારે પોસ્ટ ઑફિસની પાસપોર્ટ સેવા કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે રાજાવતે શહેરની ખરાબ એર કનેક્ટિવિટી અંગે આક્રોશ ઠાલવતાં આ એલાન કર્યું. રાજાવતે કહ્યું કે , મને એવું લાગે છે કે કોટાનું એકમાત્ર એરપોર્ટ VIPs માટે જ બન્યું છે, જનતા માટે નહી કેમ કે ત્યાં ફક્ત મોટાં લોકોના એરક્રાફ્ટ જ ઉતરી શકે છે.
રાજાવતે ગયા વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે, બંધારણ બનાવવામાં ભૂલ થઇ છે. બહુ પહેલાં જ ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઇતું હતું. તેમણે એકવાર પોલીસના પ્રોગ્રામમાં કહ્યું હતું કે હેલ્મેટ મૂર્ખ લોકો પહેરે છે અને તેને પહેરવી ફરજિયાત ન હોવી જોઇએ. આ પ્રસંગે પોલીસના ઘણા મોટા અધિકારીઓ હાજર હતા.
ગૌતમ અદાણી અને અંબાણી બ્રધર્સે પહેલાં જ તેમની નોટો બદલાવી દીધી હતી. તેમણે એમ પણ કહેલું કે, 2000 રૂપિયાની નવી નોટ બહુ ખરાબ છે અને અડવાથી જ નકલી લાગે છે. સારી એવી સંખ્યામાં નવી નોટો છાપીને પછી જ નોટબંધી લાગુ કરવી જોઇએ. આ વીડિયો વાયરલ થતાં તે ફરી ગયા હતા.
લાડપુરા સીટના ધારાસભ્ય રાજાવત પહેલાં પણ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. નોટબંધી પર નરેન્દ્ર મોદીની ટીકા કરતો તેમનો વીડિયો વાયરલ થયો હતો. તેમણે આક્ષેપ મૂકેલો કે 500/1000 રૂપિયાની નોટો બંધ કરવાના નિર્ણયની જાણકારી ગૌતમ અદાણી અને અંબાણી બ્રધર્સને પહેલાંથી જ હતી.
રાજાવતે એલાન કર્યું કે જ્યાં સુધી શહેરમાં સામાન્ય લોકો માટે બીજું એરપોર્ટ ન બની જાય, ત્યાં સુધી એક પણ એકક્રાફ્ટ લેન્ડ નહી થઇ શકે, પછી વડાપ્રધાન નરેન્દ્ મોદી જ કેમ ન હોય. તેમણે એવો સવાલ પણ કર્યો કે, વિમાનમાં ઉડી ન શકાય તો પાસપોર્ટનો શો મતલબ ? પાસપોર્ટને ખિસ્સામાં રાખીને ફરીશું?
નવી દિલ્હી: રાજસ્થાનના ભાજપ ધારાસભ્ય ભવાની સિંહ રાજાવત પોતાનાં વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે અને તેમણે ફરી વિવાદ ખડો કર્યો છે. તેમણે જાહેર કર્યું છે કે, કોટા એરપોર્ટ પર અમે કોઈ વીઆઈપીના વિમાનને નહી ઉતરવા દઇએ, ભલે પછી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કેમ ના આવ્યા હોય.