✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘રાહુલ ગાંધીનો પરિવાર ચોર, ચૂંટણી હારશે તો દેશ છોડી ઈટાલી જવું પડશે’: ભાજપ સાંસદનું વિવાદાસ્પદ નિવેદન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2018 09:47 PM (IST)
1

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવથી બીજેપી સાંસદ સાક્ષી મહારાજે ફરી એકવખત વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીનું આખું કુટુંબ ચોર છે. જો તેમનામાં તાકાત હોય તો ઉન્નાવથી ચૂંટણી લડે. જો હું હારી જઈશ તો રાજનીતિ છોડી દઈશ. રાહુલ ગાંધી હારી જાય તો દેશ છોડીને ઈટાલી જતા રહેવું પડશે.”

2

પત્રકારો દ્વારા રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા વાડ્રાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની સંભાવનાને લઈ સવાલ કર્યો ત્યારે સાક્ષી મહારાજે કહ્યું કે, હવે કોઈને પણ લોન્ચ કરે કંઈ થવાનું નથી. મોદીનો જાદુ ચાલવાનો છે. મોદી 2014થી પણ વધારે બહુમતથી 2019માં ચૂંટણી જીતીને સરકાર બનાવવાના છે. પછી પ્રિયંકા આવે કે વાડ્રા, કંઈ અસર પડવાની નથી.

3

મીડિયા સાથેની વાતચીતમાં સાક્ષી મહારાજે 2019 પહેલા અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો બીજેપી સાથે છેડો ફાડવાની વાત પણ કરી છે. તેમણે આ મુદ્દે પાર્ટી નહીં પરંતુ સંતોના સમર્થનની વાત કરી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ‘રાહુલ ગાંધીનો પરિવાર ચોર, ચૂંટણી હારશે તો દેશ છોડી ઈટાલી જવું પડશે’: ભાજપ સાંસદનું વિવાદાસ્પદ નિવેદન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.