લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો નહીં આપે કેન્દ્ર સરકાર, જાણો ભાજપના ક્યા નેતાએ કરી આ વાત
ઉલ્લેખનીય છે કે કર્ણાટક કેબિનેટ 19 માર્ચના રોજ લિંગાયત અને વીરશૈવ લિંગાયતોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. કર્ણાટક સરકારે નાગમોહન સમિતિની ભલામણનો સ્ટેટ માઇનોરિટી કમીશન એક્ટ અંતર્ગત મંજૂરી આપી છે. કોંગ્રેસ લિંગાયત ધર્મને અલગ ધર્મનો દરજજો આપવાનું સમર્થન કર્યું છે, જ્યારે ભાજપ લિંગાયતોને હિન્દુ ધર્મનો જ હિસ્સો માને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિત શાહે વીરશૈવ લિંગાયતના મહંતોને કહ્યું કે, લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીને દરજ્જો આપવાની રાજ્ય સરકારની ભલામણનો કેન્દ્ર સરકાર સ્વીકાર નહીં કરે. અમતિ શાહ આ પહેલા પણ લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીનો દરજજો આપવાનો વિરોધ કરતાં રહ્યા છે. શાહે સિદ્ધારમૈયા સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ લિંગાયતોને પ્રેમ નથી કરતાં પરતુ તેમનો હેતુ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનવાથી રોકવાનો છે.
બેંગલુરુઃ અમિત શાહે મંગળવારે લિંગાયત અને વીરશૈવ લિંગાયતને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાના પગલાંને હિન્દુઓના ભાગલા પાડનારો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, લિંગાયત સમુદાયના તમામ સંતો-મહંતોનું કહેવું છે કે સંપ્રદાયના ભાગલા ન પાડવા જોઈએ. હું ભરોસો અપાવું છું કે તેના ભાગલા નહીં પાડવા દેવામાં આવે. જ્યાં સુધી બીજેપી છે ત્યાં સુધી કોઈ ભાગલા નહીં પડે. અમે તેને લઇ કટિબદ્ધ છીએ.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને બીજેપી લિંગાયત સુમદાયને તેમના તરફ કરવામાં લાગી છે. આ પહેલા લિંગાયત સમુદાયના ચિત્રદુર્ગ મઠના મહંત શિવમૂર્તિ મુરુઘા શરાનારુએ બીજેપી અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને કહ્યું કે, કોંગ્રેસનો લિંગાયતોને અલગ ધર્મનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ યોગ્ય નથી. સમુદાયને વહેંચવા માટે ભરવામાં આવેલું પગલું યોગ્ય નથી પરંતુ તે લિંગાયતોની પેટાજાતિને સંગઠિત કરવા માટે કરવામાં આવેલો પ્રયાસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -